SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ કુમારપાળ ચરિત્ર સમુદ્ર અથવા નદીને કિનારે રહેલા દેશ અથવા નગરમાં પ્રાય માછલાઓને આહાર હોવાથી લેકે નિર્દય હોય છે. આ નગરની અંદર બાલગોપાલ સુધીના સર્વ લોકે જીવદયા પાળે તે દુષ્કર લાગે છે. કારણ કે પ્રચંડ પવનમાં દીપ પ્રકાશન ખરેખર અશકય હોય છે. માટે પ્રથમ રાજના સર્વ મનુને યથેચ્છિત સુવર્ણાદિક આપી પ્રયત્નથી સંતુષ્ટ કરવા. જેથી તેઓ આ પ્રમાણે રાજાની આગળ આપણી પ્રાર્થનાને ભંગ કરે નહીં. બુદ્ધિથી તેમણે પિતાની હેશિયારીથી મંત્રીઓને સ્વાધીન કર્યા પછી તેઓ જયંતચંદ્ર રાજા પાસે ગયા. દર્શન કરી તેની આગળ સુવર્ણાદિક સર્વ ભેટ મૂકી, પછી ચિત્રપટ મૂકીને ત્યાં બેઠા. કાશી નરેશ શ્રીકુમારપાલનું કુશલાદિક પૂછી તે ચિત્રપટ પિતાના હાથમાં લઈ આ શું છે ? એમ પૂછ્યું. પ્રધાને કહ્યું. હે રાજન! રાજગુરુ શ્રી હેમચંદ્રસૂરિની આ મૂર્તિ છે અને આ તેના સન્મુખ રહેલી અમારા રાજાની મૂર્તિ છે. હે સ્વામિ! બહુ ભકિતવડે પિતાની અને પિતાથી પણ અધિક એવી આ શ્રીગુરુમૂર્તિની ભેટ કરી શ્રી કુમારપાળ રાજા આપને જણાવે છે કે, | સર્વ વિદ્યારૂપ સાગરના પારગામી શ્રી હેમચંદ્રાચાર્ય મારા ગુરુ છે. જેઓ સર્વશની માફક લેકેને પરમતત્વનો બેધ આપે છે. તે ગુરુ પાસેથી અનુકંપામય ધર્મને સ્વીકાર કરી મેં સ્વદેશમાં અને પરદેશમાં તેની શત્રુભૂત હિંસાને નિષેધ કરાવ્યો છે. | દુર્ગતિનો માર્ગ બતાવનારી તે હિંસા તમારા નગરમાં બહુ થાય છે; એમ મારા સાંભળવામાં આવ્યું છે, તેથી તેના નિષેધ માટે આ મંત્રીઓને મેં મેકલ્યા છે. હિંસાવિનાશ હદયમાં વિચાર કરી મંત્રી છે. હે રાજન્ ! દયા એ પુણ્યનું મુખ્ય કારણ છે. માટે પિતાના દેશમાં દુનીતિ સમાન હિંસાને તમે દુર કરાવે. એમ પિતાના મંત્રીની વાણીથી અને આશ્ચર્યકારક ચિત્રના
SR No.022734
Book TitleKumarpal Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Jain SMP Sangh
Publication Year1988
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy