SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ કુમારપાળ ચરિત્ર પ્રથમ એવું કરીશ કે જેથી તમારા સહવાસથી મારે વિયેગ થાય નહીં. કામદેવશ્રેણી ઘર વિગેરે પિતાની સમૃદ્ધિ પિતાના કુટુંબીઓને સમર્પણ કરી કામદેવશ્રેણી પુત્રીઓ અને પ્રિયા સહિત નગરની બહાર બળતી ચિતાની પાસે ગયે. આ વાત નગરના લોકેએ જાણી. જેથી તેઓ અશુપાતવડે વચ્ચે ભીજાવતા શેઠની પાસે આવી મર્યાદા પૂર્વક કહેવા લાગ્યા. હે શ્રેણી ! પુરુષોને નિંદવાલાયક આ અકૃત્યને એકદમ શા માટે આરંભ તમે કયો છે? પુત્રી અને જમાઈને માટે આ પ્રમાણે કોઈપણ પ્રથમ કાલમાં મરેલા હોય તેવું સાંભળવામાં આવ્યું નથી. જે કે જમાઈ ન મળે એટલે શું તમારે મરવું જોઈએ ? પિતા અથવા પુત્ર મરે તો પણ તેની પાછળ કોઈએ મરતું નથી, તેમ છતાં તમારે મરવાની જ ઈચ્છા હોય તે પણ તમારે સાયંકાળ સુધી વાટ જેવી જોઈએ. કદાચિત્ દૈવયોગે પતિ સહિત પુત્રી અહીં આવે. એમ શેકાતુર થયેલા સ્વજને એ બહુ વાય તે પણ કામદેવ શ્રેણી કુટુંબ સહિત ચિતામાં પડવાને તૈયાર થયા. તે સમયે કે પુરુષ વૃક્ષ ઉપર ચઢી સર્વ દિશામાં તપાસ કરી બે ઘોડા પર બેઠેલા કેઈપણ ત્રણ માણસ આવે છે. અમૃત સમાન તે વાણીવડે કામદેવ તૃપ્ત થયું અને કંપા માટે તૈયાર થએલો પણ ક્ષણમાત્ર તેણે વિલંબ કર્યો. તેટલામાં નગરની નજીકમાં ફેલાયેલે મેઘ સમાન ધૂમાડો જોઈ ગુણશ્રીના હૃદયમાં બહેનોના મરણની શંકા થઈ, જેથી પિતાના પતિને કહેવા લાગી. આપ નગર તરફ દષ્ટિ કરે. આકાશમાં ફેલાયેલ ધૂમસ્તમ-સમૂહ વધતું જાય છે. એથી હું માનું છું કે મારી બહેનેએ અનિપ્રવેશ
SR No.022734
Book TitleKumarpal Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Jain SMP Sangh
Publication Year1988
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy