SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦ કુમારપાળ ચરિત્ર ધનસાર મેલ્યા. ભદ્રે ! એનાં કુકમ દૂર કરવા માટે મે શિક્ષા કરી છે. નહી. તે શુ' પુત્ર મને અળખામણેા હશે ? મારા પ્રાણથી પણ તે અધિક પ્રિય છે. ભલે પુત્ર હાય પણ તે ચૌર્યાદિક કરતા હાય, તેા તે કુલના નાશ કરનાર થાય છે. કારણ કે; વિષમિશ્રિત અમૃત પણ પ્રાણાપહારી થાય છે. કદાચિત્ વ્યસનમાં આસક્ત પુત્રને પિતા શિખામણ ન આપે તા પ્રજાના પાપવડે રાજાની જેમ પુત્રના પાપ વડે પિતા લેપાય છે. એમ કહી પેાતાના સેવકાને ચારે દિશાઓમાં પુત્રની શેાધ માટે જલદી મેાલી દીધા અને પોતે પણ તેની તપાસ માટે નીકળ્યે. નગરની અંદર મિત્રોનાં ઘર વિગેરે જોયાં. તેમજ નગરની મહાર દેવાલયેામાં પણ તપાસ કરી, નષ્ટ વસ્તુની માફક શ્રેષ્ઠીએ આખી રાત તેના તપાસ કરી. પરંતુ કેઈપણુ ઠેકાણે તેના પત્તો લાગ્યા નહીં. પ્રભાતમાં જૈવ ઈચ્છાએ ધનસાર પશ્ચિમક્રિશા તરફ ચાલ્યા. ચારેક ગાઉ ગયા એટલે ત્યાં એક વડે આગ્યે. તેની નીચે વિવાહના વેષ પહેરી સુતેલા કુમાર તેના જોવામાં આવ્યે. ધનસાર પ્રમુર્ત્તિત થઈ તેની પાસે જાય છે, તેટલામાં કુમાર પણ રાજહુંસની માફક જાગી ઉઠયેા. માનવંત છતાં પણ લજ્જા પામતા પુણ્યસાર પૃથ્વી પર મસ્તક નમાવી શિષ્ય જેમ સદ્દગુરુને તેમ તે પિતાના ચરણમાં નમ્યા. આલિંગન કર્યાં બાદ પિતાના નેત્રોમાંથી અશ્ર પડવા લાગ્યાં. પછી તેણે વિનયના આધ આપતાં કહ્યું કે, હું વત્સ ! પિતા પુત્રના તિરસ્કાર કરે છે, તે તેના હિત માટે જ હાય છે. સૂર્ય બહુ તપાવે છે, તે પણ તે કમલના વિકાસ માટે જ થાય છે. અશિક્ષિત પુત્ર કોઈ દિવસ મહત્ત્વ પામતા નથી. ઘÖણુ કર્યાં સિવાય રત્નની કિંમત વધતી નથી. વત્સ ! તને મે' કાલે માત્ર વચનથી શિખામણ આપી હતી, એટલામાં એકદમ દેહમાંથી પ્રાણની જેમ તું ઘરમાંથી કેમ નીકળી ગયા.
SR No.022734
Book TitleKumarpal Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Jain SMP Sangh
Publication Year1988
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy