SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ વૈરાગ્યકાલતા ભાગ-૩ મધ્યમબુદ્ધિએ સ્વશક્તિયોગ્ય ગૃહીધર્મને ગ્રહણ કરવાની ઈચ્છા કરી. ગુરુએ ભાગવતી દીક્ષા કષાય, નોકષાયરૂપ ક્લેશોના ક્ષયને કરનારી છે, અને ગૃહસ્થધર્મ તેવો નહીં હોવા છતાં ભવની અલ્પતાને કરનાર છે તેમ કહ્યું તેથી મધ્યમબુદ્ધિને તેવો ગૃહસ્વધર્મ પોતાને યોગ્ય છે તેમ જણાવાથી તેની યાચના કરે છે. ૨૨ના શ્લોક : इतश्च बालो निहतः स्मरास्त्रैरभिप्रियां धावति भूभृतः स्म । तद्धूलिलुप्ताक्षतया न दृष्टा, सभाऽपि तेनोग्रतमोमयेन ।।२२८ ।। શ્લોકાર્ચ - આ બાજુ કામરૂપી અોથી હણાયેલો બાલ રાજાની પ્રિયાની સન્મુખ દોડ્યો, કામવાસનાની ધૂલથી લુપ્ત ચક્ષુ હોવાને કારણે ઉગ્રતમોમય એવા તેના વડે સભા પણ જોવાઈ નહીં. ર૨૮ll શ્લોક - क एष इत्याशु नृपेण दृष्टो, दृष्ट्या प्रकोपारुणया स भीतः । स्मरज्वरः शान्तिमियाय तस्य, संज्ञागमात् प्रादुरभूच्च दैन्यम् ।।२२९।। શ્લોકાર્ચ - આ કોણ છે? એ પ્રમાણે શીઘ પ્રકોપરૂપી અરુણ દષ્ટિથી રાજા વડે જોવાયો. તે=બાલ, ભય પામ્યો. તેનોબાલનો, કામરૂપી જવર શાંતિને પામ્યો, અને સંજ્ઞાનું આગમન થવાથી દેવ્ય પ્રાદુર્ભત થયું રાજાના પ્રકોપને કારણે ભય પામેલો હોવાથી કામરૂપી જવર શાંત થયો, અને રાજા મને ફરી મારશે એ પ્રકારની સંજ્ઞા પ્રાદુર્ભત થવાથી દીનતા આવી. ર૨૯II
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy