SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૯-૧૭. બ્રાહ્મ મુહૂર્ત. રાત્રીનો છેલ્લો પહોર “બ્રાહ્મ મુહૂર્ત કહેવાય છે. ૧૪૯-૨૩. ગૃહચૈત્ય. ઘરદેરાસર. ૧૪૯-૨૪. પ્રભુની પ્રતિમા સમક્ષ પ્રત્યાખ્યાન. પ્રત્યાખ્યાના એટલે નિરાદર, અમુક જાતનો ત્યાગ-પચ્ચખ્ખાણ. એ પચ્ચખાણ આદિ દેવગુરૂની સમક્ષ કરવાનું કહ્યું છે; એટલા માટે કે સાક્ષીમાં કર્યું હોય તો પછી એમાં દઢ રહેવાય, અસ્થિર ન થઈ જવાય. ૧૪૯-૨૫. ત્રણ નિરિસહી. ત્રણ નૈષેલિકી-અમુક અમુક વ્યાપારનો નિષેધ-ત્યાગ કરૂં છું એમ કહેવા રૂપ. (૧) ઘરસંબંધી વ્યાપાર-કાર્યોનો ત્યાગ કરૂં છું એમ દેરાસરના મુખ્ય દ્વારે પ્રવેશતાં જ બોલે. (૨) રંગ. મંડપમાં પ્રવેશ કરતાં દેરાસર સંબંધી કાર્યોના વિચારનો ત્યાગ કરું છું એમ બોલે. (૩) પ્રભુ સન્મુખ રહી દર્શન કરે તે પહેલાં જિનપૂજા સંબંધી સર્વ વિચારોનો ત્યાગ કરું છું એમ બોલે. એમ ત્રણ સ્થળે ત્રણ નિસિહી કહે. ૧૫૦-૮. સ્થાપના સ્તવન. પાંચ પ્રકારના સ્તવન કહા છેઃ (૧) “નમુત્થણ કે શકસ્તવ; (૨) “અરિહંત ચેઇયાણં' કે ચૈત્યસ્તવ અથવા સ્થાપનાસ્તવ; (૩) “ચઉવિસથ્થો” કે “લોગસ્સ' અથવા નામસ્તવ; (૪) “પુખ્ખરવટ્ટિ' કે શ્રુતસ્તવ અને (૫) “સિદ્ધાણં બુદ્ધાણં' કે સિદ્ધસ્તવ. આ પાંચ સ્તવનો પાંચ “દંડક' કહેવાય છે. ૧૫૦-૯. સ્તુતિગર્ભ. જેમાં (ચાર) સ્તુતિ આવે છે એવું. ૧૫૦-૯. મુક્તાશક્તિ મુદ્રા. મોતીની બે છીપ જોડાયેલી હોય એવી રીતે બંને હાથ પોલા રાખીને જોડવા એ. ૧૫૦-૧૨. વર્ણાર્થપ્રતિમાત્રિક. વર્ણ શુદ્ધ ઉચ્ચાર કરવો. અર્થ બોલવું તે સમજતા જવું; પ્રતિમા=પ્રભુની પ્રતિમા સમક્ષ દષ્ટિ રાખવી;એ ત્રણવાનાં. આ ત્રિકને વર્ણાદિ ત્રિક અથવા આલમ્બન ત્રિક પણ કહે છે. આવાં દશ ત્રિક કહ્યાં છેઃ નિસિહિત્રિક, પ્રદક્ષિણાત્રિક, પ્રણામત્રિક, પૂજાનિક, અવસ્થાનિક, દિશિત્રિક (ત્રણ દિશાએથી દષ્ટિ સંહરી લઈ પ્રભુપ્રતિમા સમીપ જ રાખવી), પ્રમાર્જનસિક, આલંબનત્રિક, પ્રણિધાનસિક અને મુદ્રાસિક. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧) ૨૮૮
SR No.022728
Book TitleAbhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Oghavji, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy