________________
અર્થ કહે છે) ધન-ધાન્ય-ક્ષેત્ર-વસ્તુ-રૂપું-કાંચન-દ્ધિઃપાદ-ચતુષ્પાદ અને કુષ્ય (સોના રૂપા સિવાયની બીજી તમામ હલકી ધાતુઓ) એ નવા પ્રકારનો પરિગ્રહ છે. એમાં અનુક્રમે બલ્બનું બંધન-યોજન-દાન અને ગર્ભાધાન તથા કુણની ભાવથકી વૃદ્ધિ એ પાંચમા અણુવ્રતને વિષે અતિચારો છે.
ચતુર્માસ આદિ પર્યન્ત ઉર્ધ્વ-અધો અને તિર્યમ્ દિગ્માન કરવું એ આદ્ય ગુણવત; એ, તપાવેલા લોહના ગોળા સમાન જે ગૃહસ્થએને બહુ ઉત્તમ છે. ઉર્ધ્વ-અધો અને તિર્યક્ માનનું અતિક્રમણ કરવું, વિસ્મૃતિ અને ક્ષેત્રની વૃદ્ધિ કરવી એ પાંચ દિગવતના અતિચાર છે. હવે અન્ન-કુસુમાદિની પેઠે જે એકજ વાર ભોગવાય તે ભોગ; અને ગૃહાદિકની પેઠે જેનો અનેકવાર ઉપભોગ લેવાય તે ઉપભોગ. એ ભોગની અને ઉપભોગની, ભક્તિથી કે કર્મથી પરિમિતિ (પરિમાણ) કરવી એ “ભોગોપભોગ પરિમાણકૃતિ' નામનું ગુણવ્રત છે. અજાણ્યા ફળ ફુલઅનંતકાય-માંસ-મધ-માખણ-અને રાત્રિભોજનએ સર્વ વર્જવાં. ઉબરવડ–અશ્વત્ય તથા પ્લેક્ષ એ વૃક્ષોનાં ફળ તથા કૃમિ વ્યાપ્ત ફળ પણ સર્વથા વર્જવાં. સચિત્તનો, સચિત્તથી સંયુક્ત હોય એનો, તથા તુચ્છ ઔષધિઓનો પણ ત્યાગ કરવો અને અપક્વ અથવા દુ:પકવ એવાં ભોજ્ય પદાર્થોનો પણ ત્યાગ કરવો. (એ સર્વ ભોગ આશ્રયી અતિચાર જાણવા. હવે “કર્મથી કયા તે કહે છે).
ભોગોપભોગ પરિમાણના “કર્મથી' પંદર અતિચાર છે તે અંગારકર્મ વગેરે છે. ઈંટ પકાવવી તથા કુંભાર-કાંસાકાર-લુહાર-સોની એ સર્વનો વ્યાપાર, ભુજનારાનો ધંધો, કપુકાર અનો તામ્રકારનો વ્યાપાર તથાએ સર્વેને અર્થે અંગારા બનાવવાનો વ્યાપાર એ સર્વ કર્મ “અંગારકર્મ જાણવાં. પુષ્પપત્ર-કૃતાકૃત્ત વન તથા ફળ વેચીને અને કણ પીસીને “વના રોપીને આજીવન ચલાવવું એ “વનકર્મ'. શકટ (ગાડાં) તથા એનાં નાભિ-ચક્ર આદિ અંગો બનાવી તે વેચી અને હાંકીને વૃત્તિ ચલાવવી એ “શકટકર્મ'. ભેંસ–ગાડું-ઊંટ-બળદ-ખચ્ચર આદિ વડે પારકા માલને અન્યત્ર લઈ જવો એ “ભાટકક્રિયા'. હળ-કોદાળી પ્રમુખ હથીઆરોથી
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ત્રીજો)
૧૨૯