________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
अनुभूय महादुःखं, चिरं भिक्षाविवर्जितः । निर्गतः पाटकात्तस्मात्ततोऽसौ भग्नकर्परः ।।२६९।।
શ્લોકાર્થ :
જાણે ધૃતાંત જેવા દારુણ એવા ષિડ્ઝ લોકો વડે તે રાંકડો અત્યંત બૂમો પાડતો લાકડી, મુઠ્ઠી, માટીના ઢેફાના પ્રહારોથી અત્યંત તાડન કરાયો. ભિક્ષાથી રહિત ચિરકાળ મહાદુ:ખને અનુભવીને ત્યારપછી ભગ્નકર્પરવાળો આ=રાંકડો, તે પાટથી નીકળ્યો. II૨૬૮-૨૬૯।।
ततः समर्पितं तैस्तस्करैस्तस्य शरावं नीतस्तत्र जघन्यपाटके तत्रापि न लभते भिक्षां, बाध्यते षिड्गजनेन
ત્યારપછી તે તસ્કરો વડે તેને બીજું શરાવ સમર્પણ કરાયું. ત્યાં જઘન્ય પાટકમાં લઈ જવાયો. ત્યાં પણ ભિક્ષાને પામતો નથી. ષિગ્ગજનો વડે બાધા પમાડાય છે.
શ્લોક :
ततस्तत्रापि पर्यट्य, चिरं भग्ने शरावके ।
उत्कृष्टपाटके नीतस्तैर्दत्त्वा ताम्रभाजनम् ।। २७० ।।
૧૮૧
શ્લોકાર્થ :
ત્યારપછી ત્યાં પણ=બીજા પાડામાં પણ, ચિર પર્યટન કરીને=અનેક ભવોમાં પર્યટન કરીને, શરાવ ભગ્ન થયે છતે ઉત્કૃષ્ટ પાટકમાં તેઓ વડે=ચોરટાઓ વડે, તામ્રભાજન આપીને લઈ જવાયો. II૨૭૦||
શ્લોક ઃ
तत्रासौ विरलां भिक्षां, लभते छायया तया ।
यथाऽयं देवगेहस्य, रत्नपूर्णस्य नायकः । । २७१ । ।
શ્લોકાર્થ :
ત્યાં=ત્રીજા પાડામાં, આ=બઠરગુરુ, તેની છાયાથી=ત્રીજા પાડાની છાયાથી, થોડીક ભિક્ષાને મેળવે છે. જે પ્રમાણે રત્નથી પૂર્ણ એવા દેવઘરનો આ નાયક છે અર્થાત્ આ જીવ રત્નથી ભરેલા એવા દેવઘરનો નાયક છે એ પ્રકારે તેની છાયાથી ત્રીજા પાડામાં આ વિરલ ભિક્ષા મેળવે છે. II૨૭૧||
શ્લોક ઃ
कदर्थ्यते च तत्रापि, षिड्गलोकैस्तथा परैः ।
अथान्यदा क्वचित्तस्य, भग्नं तत्ताम्रभाजनम् ।।२७२ ।।