________________
૪૪૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-3| તૃતીય પ્રસ્તાવ મુગ્ધ, વિશ્વાસવાળો એવો વિભાકર પાપી એવા મારા વડે=નંદિવર્ધન વડે, ઊઠીને વિનિપાત કરાયો. વસ્ત્ર છે બીજું એવો હું સ્વકર્મના ત્રાસથી નીકળી ગયો. વેગથી પલાયન થયો. અટવીમાં પડ્યો. અનેક પ્રકારનાં દુઃખો સહન કરાયાં.
कनकशेखरमारणचेष्टा प्राप्तो महता क्लेशेन कुशावर्ते, विश्रान्तो बहिः कानने, दृष्टः कनकशेखरपरिकरण, निवेदितं कनकचूडकनकशेखरयोः, चिन्तितमाभ्यां-भवितव्यमत्र कारणेन यदेकाकी नन्दिवर्धन इति । ततः समागतौ कतिचिदाप्तपुरुषपरिवारौ मत्समीपं, विहितमुचितं, स्थितो मया सहोत्तारके कनकशेखरः, पृष्टमेकाकिताकारणम् । मया चिन्तितं-अस्याऽपि न प्रतिभासिष्यते मदीयचरितं, तत्किं कथितेन? ततो मयाऽभिहितं-अलमनया कथया । कनकशेखरः प्राह-किं मह्यमपि न कथ्यते? मयोक्तं-नेति । कनकशेखरेणोक्तं-कुमार! अवश्यंतया कथनीयमितरथा न भवति मे चित्ते निर्वाणं, ततो मयाऽऽदिष्टमयमुल्लङ्घयतीति चिन्तयतो मेऽन्तर्गतौ प्रज्वलितौ हिंसावैश्वानरौ, समाकृष्टा कनकशेखरकटीतटात्कृतान्तजिह्वाभासुराऽसिपुत्रिका, समुद्गीर्णः कनकशेखरमारणाय प्रहारः । ततः किमेतदिति प्राप्ता वेगेन कनकचूडादयः, प्रादुर्भूतः कोलाहलः, स्तम्भितोऽहं कनकशेखरगुणाऽऽवर्जितया यथासंनिहितया देवतया, समुत्क्षिप्तः पश्यतामेव तेषां गगनमार्गेण, नीतस्तद्विषयसन्धिदेशे ।
નંદિવર્ધન દ્વારા કનકશેખરને મારવાની ચેષ્ટા મોટા ફ્લેશથી કુશાવર્તમાં પ્રાપ્ત થયો. બહાર જંગલમાં વિશ્રાંત થયો. કલકશેખરના પરિકર વડે જોવાયો. કનકચૂડ અને કતકશેખરને નિવેદન કરાયું. આમના દ્વારા વિચારાયું – અહીં કારણ વડે નંદિવર્ધન એકાકી હોવો જોઈએ. તેથી કેટલાક આપ્ત પુરુષના પરિવારવાળા મારા સમીપે આવ્યા. ઉચિત કરાયું. મારી સાથે ઉત્તારકમાં રથમાં કતકશેખર રહ્યો. એકાકીપણાનું કારણ પુછાયું. મારા વડે વિચારાયું – આને પણ મારું ચરિત્ર ગમશે નહીં. તેથી કહેવા વડે શું? તેથી મારા વડે કહેવાયું – આ કથા વડે સર્યું. કતકશેખર કહે છે – શું મને પણ કહેવાતું નથી ? મારા વડે કહેવાયું – નહીં. કતકશેખર વડે કહેવાયું – કુમાર ! અવશ્યપણાથી કહેવું જોઈએ. ઈતરથા મારા ચિત્તમાં શાંતિ થશે નહીં. તેથી મારા આદિષ્ટને=મારા વચનને, આ ઉલ્લંઘન કરે છે =કાકશેખર ઉલ્લંઘન કરે છે, એ પ્રમાણે ચિંતન કરતાં મારા અંતર્ગત હિંસા, વૈશ્વાનર પ્રગટ થયાં. કનકશેખરવા કટીતટથી યમરાજના જિહ્વાના જેવી ભાસુર તલવાર ખેંચાઈ. કનકશેખરના મારણ માટે પ્રહાર કરાયો. તેથી આ શું છે એ પ્રમાણે કનકચૂડ આદિ વેગથી આવ્યા. કોલાહલ પ્રગટ થયો. કતકશેખરના ગુણથી આવજિતપણાને કારણે યથા સંનિહિત એવા દેવતા વડે ખંભિત કરાયો. તેઓના જોતાં જ ગગનમાર્ગથી હું બહાર ફેંકાયો–દેવતા વડે બહાર ફેંકાયો. તેમના વિષયના સંધિદેશમાંગુકતકશેખરના રાજ્યના સંધિદેશમાં, લઈ જવાયો.