________________
૪૨૧
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ સમભાવના પરિણામરૂપ ચારુતા છે અને તે ચારુતા જીવને સદા સદનુષ્ઠાનમાં પ્રવર્તન કરાવે છે અને પાપથી દૂર રહેનારી છે તેથી સમભાવના પરિણામવાળા જીવો ક્યારેય પાપ કરતા નથી. શ્લોક :
તથાદિतावदःखानि संसारे, लभन्ते सर्वजन्तवः ।
स्वर्गापवर्गमार्ग च, न लभन्ते कदाचन ।।१।। શ્લોકાર્થ :
તે ચારુતા દેવી કેવી છે? તે તથાદિથી સ્પષ્ટ કરે છે – સંસારમાં સર્વ જીવો ત્યાં સુધી દુઃખોને પ્રાપ્ત કરે છે, ક્યારેય સ્વર્ગ અને મોક્ષના માર્ગને પ્રાપ્ત કરતાં નથી. IIII શ્લોક :
यावत्सा चारुता देवी, तैर्न सम्यग् निषेव्यते । यदा पुनर्निषेवन्ते, तां देवीं ते विधानतः ।।२।। लब्ध्वा कल्याणसन्दोहं, तदा यान्ति शिवं नराः ।
अतः सा चारुता देवी, लोकानां हितकारिणी ।।३।। युग्मम् શ્લોકાર્થ :
જ્યાં સુધી તે ચારુતા દેવી તેઓ વડે સમ્યમ્ સેવન કરાતી નથી. વળી, જ્યારે તે દેવીને તેઓ=સંસારી જીવો, વિધિથી સેવે છેપરંતુ માત્ર વિચારવાથી નહીં પણ પ્રકૃતિમાં ચારુતાનો પરિણામ સ્થિર થાય તે રીતે સેવે છે, ત્યારે મનુષ્યો કલ્યાણના સંદોહને સમૂહને, પામીને સુગતિઓની પરંપરાને પ્રાપ્ત કરીને, મોક્ષમાં જાય છે. આથી તે ચારુતા દેવી લોકોના હિતને કરનારી છે.
જેઓ સમભાવની પરિણતિને અભિમુખ ચારુતા પ્રગટે એ પ્રકારે સદા યત્ન કરે છે તેઓ ચારુતાની ઉપાસના કરીને સંસારમાં સર્વ પ્રકારનાં દુઃખો પ્રાપ્ત કરતા નથી. અને તે પ્રકારે ચારુતાને અભિમુખ પરિણામમાં યત્ન કરીને મોક્ષની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી સ્વર્ગનાં સુખો પ્રાપ્ત કરે છે અને ક્રમે કરીને મોક્ષનાં સુખો પ્રાપ્ત કરે છે અને જે તેવા નથી. તેઓ સંસારમાં સર્વ પ્રકારનાં દુ:ખો પ્રાપ્ત કરે છે અને સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિના માર્ગને ક્યારેય સેવી શકતા નથી. ૨-૩
શ્લોક :
संसारसागरोत्तारकारणानि महात्मनाम् । लोके लोकोत्तरे वाऽपि, यानि शास्त्राणि कानिचित् ।।४।।