________________
૪૦૫
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
कनकशेखरसूचितदोषद्वयम् શ્લોક :
તથ-િ रूपवान् कुलजः शूरः, कृतविद्यो महारथः । तथाप्ययं ममाभाति, न किञ्चित्रन्दिवर्धनः ।।१।।
કનકશેખર વડે સૂચિત દોષદ્વય શ્લોકાર્થ:
તે આ પ્રમાણે – રૂ૫વાળો, કુલવાળો, શૂરવીર, વિધાવાળો મહારથ આ છે. તોપણ નંદિવર્ધન મને કંઈ ભાસતો નથી-આનંદને વધારનારો ભાસતો નથી. III શ્લોક :
यतोऽसौ हिंसयाऽऽश्लिष्टो, युक्तो वैश्वानरेण च ।
परोपतापनिरतो धर्माद्रेण वर्तते ।।२।। શ્લોકાર્થ :
જે કારણથી આ=નંદિવર્ધન, હિંસાથી આશ્લિષ્ટ, વૈશ્વાનરથી યુક્ત, પરોપતાપમાં નિરત, ધર્મથી દૂર વર્તે છે. રા. શ્લોક :
अतो नोपेक्षितुं युक्तो, ममाऽयं हितकारिणः ।
वचने यदि वर्तेत, स्यादस्मै हितमुत्तमम् ।।३।। શ્લોકાર્ચ -
આથી મને ઉપેક્ષા કરવી યુક્ત નથી. જો આ હિતકારી એવા મારા વચનથી વર્તે તો આનું ઉત્તમહિત થાય. Il3II શ્લોક :
केवलस्य च मे वाक्यं, कदाचिन्न करोत्ययम् ।
ताताऽभ्यणे पुनः प्रोक्तः, कुर्यात्तत्तातलज्जया ।।४।। શ્લોકાર્ચ -
અને કેવલ મારું વાક્ય કદાચ આ ન કરે પરંતુ પિતાની પાસે કહેવાયેલું પિતાની લજ્જાથી કરે. III