________________
૩૯૩
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ परिधापिता भुजयोः कटककेयूरादयः । तेतलिः प्राह-देव! अत्र तुच्छकिङ्करजने देवकीयोऽयमतिप्रसादोऽनुचित इवाऽऽभासते । मयाऽभिहितं-आर्य! प्राणप्रदेऽपि सद्वद्ये किं किञ्चिदनुचितमस्ति? तन्न कर्तव्योऽत्र भवता संक्षोभः, त्वं ममेदानीं जीवितादव्यतिरिक्तो वर्तसे ।
મારા વડે વિચારાયું=કપિંજલા વડે વિચારાયું. યાવત્ ક્રમથી નંદિવર્ધનનું દર્શન થશે ત્યાં સુધી આ રાજપુત્રી મરી જશે. આથી ત્યાં સુધી તેતલીને જોઉં. આ તેતલી, કુમારને વલ્લભ છે. તેથી કદાચિત તેને નંદિવર્ધતકુમારને, વિજ્ઞાપન કરવા સમર્થ થશે. તેથીeતેતલી નંદિવર્ધનને વિજ્ઞાપન કરે તેથી, આનું કનકમંજરીનું, આજે જ કુમારના દર્શનથી પરિત્રાણ થશે. એ પ્રમાણે ચિંતવન કરીને હું તારી પાસે આવી છું તેતાલી પાસે કપિંજલા આવી છે, તે કારણથી આ નિમિત્તને પામીને તેણીમાં-કનકમંજરીમાં, કામદેવ પ્રભાવ પામે છે. આ સાંભળીને મિત્ર પ્રમાણ છેeતેતલી પ્રમાણ છે. મારા વડે કહેવાયું – તેતલી વડે કહેવાયું. જો આ પ્રમાણે છે તો જો કે વય ઇન્દ્રિયવાળા દેવ છે-નંદિવર્ધત છે, અને મહાસત્ત્વપણું હોવાને કારણે તૃણની જેમ સ્ત્રીઓને જાણે છે. તોપણ આ પ્રમાણે હું વિજ્ઞાપન કરું , જે પ્રમાણે પોતાના દર્શનથી રાજદુહિતાનો ઉદ્ધાર કરે. કેવલ રતિમન્મથના બગીચામાં તમારા વડે રહેવું જોઈએ. તેથી તેતલીએ આ પ્રમાણે કપિંજલાને કહ્યું તેથી, મહાપ્રસાદ, અનુગૃહીત હું છું એ પ્રમાણે બોલતી મારા ચરણમાં કપિંજલા પડી. સ્વભવનમાં ગઈ અને હું પણ=તેતલી પણ, અહીં આવ્યો છું= નંદિવર્ધત પાસે આવ્યો છું, તે કારણથી હે દેવ ! મારા વડે આ તમારા રોગનો ભેષજ પ્રાપ્ત કરાયો. મારા વડે કહેવાયું – હે તેતલી ! સુંદર સુંદર તું જ કહેવા માટે જાણે છે. અર્થાત્ આવા પ્રસંગે કપિંજલાને શું કહેવું તે કહેવા માટે તું જાણે છે. ત્યારપછી તેના વક્ષ:સ્થલમાં તેતલીના વક્ષ:સ્થલમાં, મારા વડે પોતાનો હાર સમર્પિત કરાયો. ભુજાના કટક-કેયૂર આદિ ત્યાગ કરાયા તેતલીને અપાયા. તેતલી કહે છે – હે દેવ ! અહીં તુચ્છ કિંકરજનમાં દેવતો આ અતિ પ્રસાદ અનુચિત જેવો ભાસે છે. મારા વડે કહેવાયું – હે આર્ય ! પ્રાણને દેનારા સદ્ વૈદ્યમાં શું કંઈ અનુચિત છે? તે કારણથી અહીંમારા અપાયેલા દાનના ગ્રહણમાં, તારા વડે તેટલી વડે, ક્ષોભ કરવો જોઈએ નહીં. તુ હમણાં મારા જીવિતથી અવ્યતિરિક્ત વર્તે છે.
अत्रान्तरे समागतो द्वारि विमलो नाम महाराजमहत्तमो, निवेदितो मे प्रतिहार्या, स्थितः पृथगासने तेतलिः, प्रविष्टो महत्तमः, कृतोचिता प्रतिपत्तिः । अभिहितमनेन-कुमार! देवेन प्रहितो युष्मत्समीपेऽनेनार्थेन-यथा 'अस्ति मम जीवितादपीष्टतमा कनकमञ्जरी नाम दुहिता, सा ममोपरोधात् कुमारेण स्वयं पाणिग्रहणेनाऽऽह्लादनीया' । ततो निरीक्षितं मया तेतलिवदनम्, तेनाभिहितं-देव! अनुवर्तनीयो महाराजो देवस्य, अतो मान्यतामियं तस्य प्रथमप्रणयप्रार्थना । मयाऽभिहितं तेतले! त्वमत्र प्रमाणम् । विमलः प्राह-कुमार! महाप्रसादः, ततो निर्गतो विमलः ।
એટલામાં દ્વારમાં વિમલ નામનો મહારાજાનો મહત્તમ મંત્રી, આવ્યો. પ્રતિહારી વડે મને નિવેદન