________________
૨૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ સલાહને કરનારું થશે, છતાં મહાપ્રયોજનવાળું છે માટે ઉચિત છે તેથી, ત્યાં મારા કથનમાં, દેવ વડે કોપ કરવો જોઈએ નહીં, તાત વડે=રાજા વડે, કહેવાયું, હે ભદ્ર ! હિતભાષી એવા તારામાં કોપનો અવસર ક્યાંથી છે ? ભદ્ર ! વિવક્ષિત કહે.
જે કહેવા જેવું છે તે કથન કર. વેદક વડે કુમારની ગુપ્તચર્યા માટે સ્થાપન કરાયેલા વેદક વડે, રાજાને કહેવાયું. હે દેવ ! જો આ પ્રમાણે છેઃમને કથન કરવાની આજ્ઞા કરો છો તો, કુમારના પરિચયથી મારા વડે આ અવધારણ કરાયું છે. શું અવધારણ કરાયું છે? તે “યતથી વેદક કહે છે – આ વૈધ્ધાર કુમારનો અંતરંગભૂત મિત્ર છે. કોઈના વડે પણ દૂર કરવા માટે શક્ય નથી, કુમાર વડે અત્યંત હિતબંધુની બુદ્ધિથી ગ્રહણ કરાયો છે. તેના વિરહમાં=વૈશ્વાનરના વિરહમાં, ક્ષણ પણ રહેવા માટે કુમાર સમર્થ નથી. જે કારણથી વૃતિને પામતો નથી. રણરણકથી ગ્રહણ થાય છે–શૂનમૂનપણાથી રહેલો જણાય છે, આનાથી રહિત=ર્વધ્વાનરથી રહિત, પોતાને તૃણતલ્ય માને છે. તેથી જો આ રીતે કુમારને વૈશ્વાનરના સંગના ત્યાગ પ્રત્યે કંઈક કહેવાય છે, તો હું આ પ્રમાણે વિચારણા કરું છું-વેદક કહે છે હું આ પ્રમાણે સંભાવના કરું છું, મહાન ઉદ્વેગને કરે=વૈશ્વાનરના ત્યાગના વચનને સાંભળીને કુમાર અત્યંત ઉદ્વેગને કરે, અથવા આત્મઘાતાદિને કરે. અથવા અન્ય કંઈક અકાંડ વિદ્વરરૂપ અનર્થાતર=ન સંભવી શકાય તેવા પ્રસંગરૂપ અનર્થને સંપાદન કરે. જો પિતા વૈપ્પાનરના ત્યાગ માટે આગ્રહ કરે તો આપણે ન ધારી શકીએ તેવું કોઈક અનર્થકારી પગલું કુમાર સ્વીકારે.
એથી આ અર્થમાં કુમારને કહેવું – હે દેવ ! કંઈ ઉચિત નથી. આ પ્રમાણે વેદકે કહ્યું. તે સાંભળીને બુદ્ધિસમુદ્ર એવા કલાચાર્ય વડે કહેવાયું – હે દેવ ! સર્વ આ સત્ય જ છે જે વેદક વડે કહેવાયું. તે આ પ્રમાણે – અમે પણ કુમારના પાપમિત્રના સંબંધના વારણમાં સકલકાલ ગાઢ ઉઘુક્ત રહ્યા છીએ. અને અમારા વડે વિચારાયું આ વૈધ્ધાનરરૂપ પાપમિત્રથી જો આ કુમારનો વિયોગ કરાય તો ખરેખર નંદિવર્ધન થાય=બધા જીવોના આનંદના વર્ધનને કરનારો થાય. ફક્ત આ બે નંદિવર્ધન અને વૈશ્વાનર આ બેનું, આવા પ્રકારરૂપ ગાઢ નિરૂઢ સ્નેહ છે જેનાથી કુમાર અનર્થતા ભીરુપણાને કારણે વિયોજન કરવા માટે શક્ય નથી. એથી કુમારનું વૈશ્વાનર સાથે મૈત્રીનું વારણ અશક્ય અનુષ્ઠાનરૂપ છે એ પ્રકારે અમે માનીએ છીએ. પિતા વડે કહેવાયું. હે આર્ય ! વળી આમાં કુમારના વૈશ્વાનરથી રક્ષણમાં, શું ઉપાય થશે ? બુદ્ધિસમુદ્ર વડે કહેવાયું આ=કુમારના રક્ષણનો ઉપાય, અતિગહન છે અમે પણ જાણતા નથી. વિદુર વડે કહેવાયું – હે દેવ ! અહીં આપણા નગરમાં, કોઈક અતીત-અનાગત અને વર્તમાન પદાર્થના જિનમતો જાણકાર સિદ્ધપુત્ર નામનો મહાનૈમિત્તિક આવેલો સંભળાય છે તે કદાચિત્ આમાં=વૈશ્વાનરથી કુમારના રક્ષણમાં, ઉપાય જાણે. પિતા વડે કહેવાયું – સુંદર કહેવાયું ભદ્ર ! સુંદર ! શીધ્ર તે=સિદ્ધપુત્ર તારા વડે બોલાવાય. વિદુર વડે કહેવાયું – જે દેવ ! આજ્ઞા કરે. વિદુર ગયો. નૈમિત્તિક સાથે થોડી વેળામાં આવ્યો. તાત વડે નૈમિત્તિક જોવાયો. ચિતથી તોષ પામ્યા=રાજા તોષ પામ્યા, આસન અપાયું નૈમિત્તિકને બેસવા માટે આસન અપાયું. ઉચિત કરણીય કરાયું. વ્યતિકર કહેવાયો=નંદિવર્ધનનો પ્રસંગ કહેવાયો, અને ત્યારપછી રાજાએ