________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૩૮૧
નંદિવર્ધનની વિરહ અવસ્થા
-
અને ત્યાં=પોતાના નિવાસસ્થાને શૂન્યમનસ્કવાળો દિવસને ઉચિત કર્તવ્યને કરીને, ઉપરિતન ભૂમિકામાં હું આરૂઢ થયો. ત્યારપછી સમસ્ત પરિજનને મોકલી દઈને શય્યામાં એકાકી સૂતો અને તેમાં=તે શય્યામાં, કનકમંજરીના વિષયક અપર-અપર એવા વિતર્ક કલ્લોલ વડે વિધુરિત=વિહ્વળ, ચિત્તની વૃત્તિવાળો એવો હું જાણતો નથી. શું જાણતો નથી ? તે ‘વસ્તુત’થી કહે છે હું શું આવ્યો છું ? હું શું ગયો છું ? હું શું ત્યાં જ રહેલો છું ? હું શું એકલો છું ? કે પરિજનથી ઘેરાયેલો છું ? હું શું સૂતેલો છું ? અથવા હું શું જાગું છું ? અથવા હું શું રડું છું ? અથવા હું શું રડતો નથી ? શું આ દુ:ખ છે ? અથવા આ સુખ છે ? અથવા શું ઉત્કંઠ એવો આ છે ? અથવા શું આ વ્યાધિ છે ? અથવા શું આ ઉત્સવ છે ? અથવા શું આ વ્યસન છે ? શું આ દિવસ છે ? અથવા શું આ રાત્રિ છે ? શું હું મરી ગયો છું ? શું હું જીવું છું ? આ પ્રમાણે ક્યારેક થોડી ચેતનાવાળો હું ફરી વિચારું છું - અરે ! ક્યાં જાઉં ? શું કરું ? શું સાંભળું ? શું જોઉં ? શું આલાપ કરું ? કોને કહું ? મારા આ દુઃખનો પ્રતિકાર કોણ થશે ? અને આ રીતે=પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, પર્યાકુલચિત્તવાળો નિષિદ્ધ કર્યો છે અશેષ પરિજનને જેણે એવો અપર-અપર પડખાથી શરીરને પરાવર્ત કરતો મહાનરકની જેમ તીવ્ર દુઃખને કારણે અનિદ્રાવાળા જ મારી તે રાત્રિ પસાર કરાઈ. સૂર્યોદય થયો, તે પ્રકારે રહેતા જ=વ્યાકુળરૂપે રહેતા જ, મારો અર્ધપ્રહર પસાર થયો=નંદિવર્ધનનો અર્ધપ્રહર પસાર થયો.
तेतलिकृतपरिहासः
अत्रान्तरे समागतस्तेतलिः, अतिवल्लभतया मे न वारितः केनापि प्राप्तो मत्समीपं कृतमनेन पादपतनं, निषण्णो भूतले, विरचितकरमुकुलेन चाभिहितमनेन देव ! नीचजनसुलभेन चापलेन किञ्चिद्देवं विज्ञापयिष्यामि तच्चार्वचारु वा सोदुमर्हति देवः । मयाऽभिहितं भद्र तेतले ! विश्रब्धं વવું, જિમિયત્યા ર્દશોમયા? તેત્તિનાઽમિનિત-યઘેવું, તતો મા લેવ! પરિનનાવાળિત, યથા रथादवतीर्य देवो न ज्ञायते किमत्र कारणं सोद्वेग इव, निषिद्धाशेषपरिजनः सचिन्तः शयनीये विवर्तमानस्तिष्ठति । इतश्च स्यन्दनाऽश्वानां तृप्तिं कारयतो लङ्घितोऽतीतदिनशेषः, ततो रात्रौ समुत्पन्ना मे चिन्ता यदुत - किं पुनर्देवस्योद्वेगकारणं भविष्यति ? ततस्तदलक्षयतश्चिन्ताविधुरस्य जाग्रत एव मे विभाता रजनी, ततो यावदुत्थाय किलेहागच्छामि तावद् बृहत्तमं प्रयोजनान्तरमापतितं तेनातिवाह्येयतीं वेलामहमागत इत्यतो निवेदयतु देवः प्रसादेन शरीरकुशलवार्तामात्रायत्तजीविताय किङ्करापसदायाऽस्मै जनाय यदस्य व्यतिकरस्य कारणमितिब्रुवाणः पतितो मच्चरणयोस्तेतलिः । ततो मया चिन्तितं - अहो अस्य मयि भक्तिप्रकर्षः, अहो वचनकौशलं, युज्यत एवास्मै सद्भावः कथयितुं, तथापि वामशीलयता मदनविकारस्य मयाऽभिहितं भद्र तेतले ! न जाने किमत्र कारणम् ?