________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
શ્લોકાર્થ ઃ
અને ત્યાં=જિનમંદિરમાં, કર્યાં છે અશેષ કર્તવ્ય જેણે એવા તે સર્વએ પણ જગદ્ગુરુને પૂજીને પોતાનો આશય આચાર્યને કહે છે. II૨૫II
શ્લોક ઃ
ततोऽभिनन्दितास्तेऽपि, सूरिभिः कलया गिरा । अलं विलम्बितेनात्र, संसार इतिभाषिणा ।।२६।।
શ્લોકાર્થ :
ત્યારપછી આ સંસારમાં વિલંબનથી સર્યું એ પ્રકારે બોલનારા સૂરિ વડે મધુર વાણીથી તેઓ પણ=રાજા વગેરે પણ, અભિનંદિત કરાયા. ।।૨૬।।
શ્લોક ઃ
શ્લોક :
ततः प्रवचनोक्तेन विधिना धूतकल्मषैः ।
सर्वे ते क्षणमात्रेण, दीक्षिता गुरुभिर्जनाः ।।२७।।
૩૦૫
શ્લોકાર્થ :
ત્યારપછી પ્રવચનમાં કહેવાયેલી વિધિથી અકલ્મષવાળા એવા ગુરુ વડે ક્ષણમાત્રથી તે સર્વ પણ લોકો દીક્ષિત કરાયા. ।।૨૭।I
दीक्षितेभ्यो गुरूपदेशः
अथ संवेगवृद्ध्यर्थं, कल्पोऽयमिति वा क्षणम् । તા સમક્ષ સોસ્ય, સૂરિમિર્ધર્મવેશના ।।૨૮।।
દીક્ષિતોને ગુરુનો ઉપદેશ
શ્લોકાર્થ :
હવે સંવેગવૃદ્ધિ માટે આ કલ્પ છે એથી કરીને ક્ષણ=અલ્પકાળ, લોકની સમક્ષ સૂરિ વડે ધર્મ
દેશના કરાઈ. II૨૮||
શ્લોક ઃ
तद्यथा
अनाद्यनन्तसंसारे, जन्ममृत्युभयाकरे ।
मौनीन्द्र दुर्लभा सत्त्वैः प्रव्रज्येयं सुनिर्मला ।। २९ ।।