________________
૨૯૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ અસ્થાન આરંભથી સર્યું, રાજા કહે છે – જો આ પ્રમાણે છેઃમનીષીને પ્રલોભન આપીને વિલંબન કરવું ઉચિત નથી એ પ્રમાણે છે, તો હમણાં પ્રાપ્તકાલ શું છે ?=શું કરવું ઉચિત છે ? સુબુદ્ધિ કહે છે – હે દેવ ! દીક્ષા ગ્રહણ કરવા માટે આનો પ્રશસ્ત દિવસ જોઈને ત્યાં સુધી સર્વ આદરથી મોટો પ્રમોદ કરાવાય. રાજા કહે છે – જે મનીષીના વિષયમાં શું ઉચિત કર્તવ્ય છે તે, તું જાણે છે.
__नैमित्तिकाह्वानमष्टाह्निकामहोत्सवश्च ततः समाहूतः सिद्धार्थो नाम सांवत्सरः । समागतस्त्वरया, प्रविष्टोऽभ्यन्तरे, राज्ञा दापितमासनं, कृतमुचितकरणीयं, कथितमाह्वानप्रयोजनं, ततो निरूप्य निवेदितमनेन यदुत-अस्मादिनानवमे दिनेऽस्यामेव भाविन्यां शुक्लत्रयोदश्यां, शुक्रदिने, उत्तरभद्रपदाभिर्योगमुपगते शशधरे, वहति शिवयोगे, दिनकरोदयातीते सपादे प्रहरद्वये, वृषलग्नं, सप्तग्रहकं, एकान्तनिरवद्यं भविष्यति, तदाश्रीयतामिति, अभिहितं राजमन्त्रिणोः, परिपूज्य प्रहितः सांवत्सरः, गतं तद्दिनम् ।
નૈમિત્તિકનું આહ્વાન અને આષ્ટાહ્નિકા મહોત્સવ તેથી સિદ્ધાર્થ નામનો સાંવત્સર=જ્યોતિષને જોનાર બોલાવાયો. ત્વરાથી આવ્યો=જ્યોતિષ આવ્યો. અભ્યતરમાંઅંદર પ્રવેશ કર્યો=જ્યોતિષે રાજમહેલમાં પ્રવેશ કર્યો, રાજા વડે આસન અપાયું, ઉચિત કરણીય કરાયું=જ્યોતિષનો ઉચિત આદરસત્કાર કરાયો, બોલાવાનું પ્રયોજન કહેવાયું મનીષીની દીક્ષા માટે કયો દિવસ ઉચિત છે તેનું પ્રયોજન કહેવાયું, ત્યારપછી જોઈને આના દ્વારા=
જ્યોતિષ વડે, નિવેદન કરાયું, શું નિવેદન કરાયું ? તે કુતથી બતાવે છે, આ દિવસથીઆજના દિવસથી, નવમા દિવસે આ જ ભવિષ્યમાં થનારી શુક્લતેરસમાં શુક્લદિન હોતે છતે ઉત્તરભાદ્રપદનક્ષત્રમાં શશધરનો-ચંદ્રનો, યોગ પ્રાપ્ત થયે છતે, શિવયોગ વહત થયે છતે, દિવસના ઉદયથી અતીત પાદસહિત બે પ્રહર પૂરા થયે છતે વૃષ લગ્ન, સપ્તગ્રહક, એકાંત નિરવઘ થશે. તેને આશ્રય કરો, તે પ્રમાણે રાજા અને મંત્રીને નિવેદન કરાયું સિદ્ધાર્થ નામના સાંવત્સર વડે નિવેદન કરાયું, પૂજા કરીને સાંવત્સર મોકલાવાયો પોતાના સ્થાને જવા રાજા વડે અનુજ્ઞા અપાવાઈ, તે દિવસ પૂરો થયો,
ततो द्वितीयदिनादारभ्य प्रमोदशेखरे तदन्यजिनायतनेषु च देवानामपि विस्मारितसुरालयसौन्दर्या विधापिता राज्ञा महोत्सवाः, दापितानि वरवरिकाघोषणपूर्वकं सर्वत्र महादानानि, विहारितो देवेन्द्रवदैरावतविभ्रमजयकरिवरारूढः, स्वयं पदातिभावं भजता त्रिकचतुष्कचत्वरादिषु सुराकारैर्नागरिकजनैः स्तूयमानो निरुपमविलासविस्तारमनुभावयता नरपतिना प्रतिदिनं नगरे मनीषी, प्राप्तोऽष्टमवासरः, तत्र च नीतं निखिलजनसन्मानदानार्थमास्थानार्धमानविनोदेन प्रहरद्वयम् । अत्रान्तरे दिनकराऽऽचरितेन मनीषिवचनं सूचयताऽभिहितं कालनिवेदकेन ।
ત્યારપછી બીજા દિવસથી માંડીને રાજા વડે પ્રમોદશેખર નામના ચૈત્યાલયમાં અને અન્ય જિનાયતનમાં