________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૨૭૧
શ્લોકાર્ચ -
તેથી પ્રમોદથી ઉદ્ધરમાનસવાળા=રાજાના મનીષીને ઉદ્દેશીને કહેવાયેલાં તે સર્વ વચનોને સાંભળીને પ્રમોદથી હર્ષિત થયેલા માનસવાળા, સમસ્ત તેઓ વડે કહેવાયું, જે રાજેન્દ્ર આદેશ કરે એમાં કોને તે ન રુચે=બધાને રુચે છે. llll. શ્લોક :
अत्रान्तरेऽतितोषेण, देहस्था सा मनीषिणः ।
विजृम्भिता विशेषेण, जननी शुभसुन्दरी ।।८।। શ્લોકાર્ધ :
અત્રાન્તરમાં આ પ્રકારે રાજા નગરજનોને કહે છે એવા કાલમાં, અતિતોષથી દેહમાં રહેલી શુભસુંદરી નામની તેમનીષીની માતા વિશેષથી વિસ્મિત થઈ મનીષીના દેહમાં રહેલ પુણ્યાનુબંધી પુણ્યસ્વરૂપ તેની માતા વિશેષ પ્રકારે વિપાકમાં આવી. અર્થાત્ ફલ આપવાને અભિમુખ થઈ. llcil શ્લોક :
ततः सश्रीकतामाप्य, क्षणेन भुवनातिगाम् ।
रराज राजलोकेन, परिवारितविग्रहः ।।९।। શ્લોકાર્થ :તેથી મનીષીના દેહમાં રહેલાં શુભકમ વિશેષથી વિપાકમાં આવ્યાં તેથી, ક્ષણથી ભુવનના અતિશયવાળી લક્ષ્મીને આપીને રાજલોકથી પરિવારિત વિગ્રહવાળો રાજપુરુષો આદિથી પરિવારિત થયેલો, શોભવા લાગ્યો મનીષી શ્રેષ્ઠ કોટિના પુણ્યના ઉદયથી રાજા વગેરે બધાથી સન્માનિત કરાયેલો જાણે સર્વોત્તમ પુરુષ ન હોય એ રીતે આદરસત્કાર કરાતો શોભવા લાગ્યો. ll૯ll શ્લોક :
करेणुकाधिरूढेन, सह मध्यमबुद्धिना ।
अथाऽवाप पुरद्वारं, स्तूयमानः सुबुद्धिना ।।१०।। શ્લોકાર્ય :
હાથી ઉપર આરૂઢ એવા મધ્યમબુદ્ધિ સાથે સુબુદ્ધિ મંત્રી દ્વારા સ્તુતિ કરાતો મનીષી નગરના દ્વારને પામ્યો. ૧૦ શ્લોક :
ततोच्छितपताके च, देहशोभामनोरमे । विशेषोज्ज्वलनेपथ्ये, हर्षात्सम्मुखमागते ।।११।।