________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૧૮૧ दुःखं, कथितो नागरिकेभ्यो बिभीषणेन रात्रिव्यतिकरः, ततोऽहो धृष्टताऽस्येति गाढतरं प्रद्विष्टाः सर्वे, विज्ञापितो महत्तमै राजा, यदुत-यो देवपादानामेवमयमपथ्यकारी, स तथा क्रियतां यथाऽन्योऽप्येवं न करोतीति । अस्ति च तस्य राज्ञो भगवदर्हदागमावदातबुद्धिः सुबुद्धिर्नामामात्यः, केवलं तेन क्वचिदवसरे वरं प्रार्थितो राजा यदुत-हिंस्रकर्मणि नाहं पर्यालोचनीयो भवता, प्रतिपन्नश्च स वरो नरपतिना, ततः सुबुद्धिं (अ)पर्यालोच्यैव दत्तः शत्रुमर्दनेन राजपुरुषाणां नियमो यदुत-कदर्थयित्वा बहुप्रकारमेनं नरापसदं व्यापादयतेति । तदाकर्ण्य महाराज्यलाभ इव जातो जनानां प्रमोदातिशयः, ततः समारोपितो रासभे विडम्ब्यमानः शरावमालया समन्ताच्चूर्ण्यमानो यष्टिमुष्टिमहालोष्टप्रहारै, रोरूयमाणो विरसध्वनिना तुद्यमानो मनसि कर्णकटुकैराक्रोशवचनैर्महता कलकलेन समस्तेषु त्रिकचतुष्कचत्वरहट्टमार्गादिषु बंभ्रम्यमाणो विगोपितो बालः । ततो विशालतया नगरस्य, प्रेक्षणकप्रायत्वात्तस्य, भ्रमणेनैवातिक्रान्तं दिनं, सन्ध्यायां नीतो वध्यस्थानं, उल्लम्बितस्तरुशाखायां, प्रविष्टो नगरं लोको, भवितव्यताविशेषेण तस्य त्रुटितः पाशकः, पतितो भूतले, गतो मूर्छा, स्थितो मृतरूपतया, लु(छु)प्तो वायुना, लब्धा चेतना, प्रवृत्तो गृहाभिमुखं गन्तुं, भूमिकर्ष(घर्ष)णेन कूजमानः ।
શગુમન રાજા વડે કરાયેલ બાલની વિડંબના અને મૃત્યુદંડ અને આ કહેવાયો=બિભીષણ કહેવાયો, અરે ! આ પુરુષાધમ તારા વડે આ જ રાજમંદિરના આંગણામાં જે પ્રમાણે આનું કરુણ ધ્વનિ હું સાંભળ્યું તે પ્રમાણે સમસ્ત રાત્રિ કદર્થના કરવા યોગ્ય છે. બિભીષણ વડે કહેવાયું, દેવ જે આજ્ઞા કરે છે, ત્યારપછી તેના વડે=બિભીષણ વડે, ઘસેડાયોકબાલ ઘસેડાયો, ગ્રહણ કરીને બૂમો પાડતો બાલ નજીકના રાજપ્રાંગણમાં લઈ જવાયો, વજના કાંટાથી આકુલ લોહસ્તંભમાં બંધાયો, કશાધાતો વડે મરાયો, અગ્નિના વર્ણ જેવા=ગરમ તેલ બિંદુઓ વડે સિંચાયો, અંગુલીના અગ્રભાગ આદિમાં લોઢાની શલાકાઓ પ્રવેશ કરાવાઈ, ત્યારપછી બિભીષણ વડે આવા પ્રકારના નરકના આકારવાળાં દુઃખો ઉદીરણા કરાયે છતે આક્રન્દ કરતા બાલની રાત્રિ પસાર થઈ, તેના આક્રન્દના અવાજથી અને શ્રવણની પરંપરાથી આ શું છે? એ પ્રકારના કુતૂહલથી રાજકુલમાં નગરનો લોક પ્રભાતમાં આવ્યો, બાલ જોવાયો, તે જ આ પાપિષ્ઠ હજી પણ જીવે છે ઈત્યાદિ નાગરિકોનો પરસ્પર બહુપ્રકારનો તેના આક્રોશનો જલ્પ પ્રવૃત્ત થયો. તેથી તેને સાંભળતા એવા તેનું દુખ=બાલનું દુખ, સોગણું થયું, બિભીષણ વડે નાગરિકોને રાત્રિનો પ્રસંગ કહેવાયો. ત્યારપછી અહો આવી=બાલવી, ધૃષ્ટતા, એ પ્રમાણે સર્વ નાગરિકો ગાઢતર પ્રàષવાળા થયા. મહત્તમો વડે=મોટા લોકો વડે, રાજા વિજ્ઞાપન કરાયો, શું વિજ્ઞાપત કરાયો ? તે ‘કુતથી બતાવે છે, જે આગબાલ, દેવપાદ એવા રાજાને અપથ્યકારી છે, તે બાલ, તે પ્રમાણે કરાય જે પ્રમાણે અન્ય પણ આ પ્રમાણે કરે નહીં. અને તે રાજાને ભગવાન અરિહંતના આગમથી સુંદર બુદ્ધિવાળો સુબુદ્ધિ તામતો અમાત્ય છે. તેના વડે કેવલ કોઈક અવસરમાં રાજા વરદાન મંગાયો, કેવા પ્રકારનું વરદાન