SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ શ્લોક ઃ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ प्रतिपन्नमकाले तु सदोषमपि यस्त्यजेत् । स निन्द्यः स्यात्सतां मध्ये, न चासौ स्वार्थसाधकः ।।२।। શ્લોકાર્થ ઃ વળી, સદોષ પણ સ્વીકારાયેલું અકાળમાં જે ત્યાગ કરે છે તે સત્પુરુષોની મધ્યમાં નિંધ થાય. અને આ સ્વાર્થનો સાધક થાય નહિ. સ્પર્શનનો સંબંધ સદોષ છે તોપણ શક્તિસંચય થયો નથી ત્યાં સુધી શ્રાવક તેને મિત્રરૂપે સ્વીકારે છે આથી જ તેને અનુકૂળ કંઈક ભોગાદિ પણ કરે છે, છતાં શક્તિસંચય થયા વગર કોઈ શ્રાવક આ ભોગ અસુંદર છે એમ માનીને ત્યાગ કરે અને ભોગથી પર થાય તેવું ચિત્ત વિદ્યમાન ન હોય તો તેની સંયમની આચરણા શિષ્ટ પુરુષો વડે નિંઘ બને છે. અને બાહ્ય ત્યાગ કરીને વિકારોના શમન દ્વારા ગુણવૃદ્ધિરૂપ સ્વાર્થનો સાધક તે થતો નથી. IIII શ્લોક ઃ यस्तु मूढतया काले, प्राप्तेऽपि न परित्यजेत् । सदोषं लभते तस्मात्, स्वक्षयं नात्र संशयः । । ३ । શ્લોકાર્થ : વળી, જે મૂઢપણા વડે કાળ પ્રાપ્ત થયે તે પણ પરિત્યાગ કરતો નથી, સદોષને પ્રાપ્ત કરે છે, તેનાથી=સદોષને પ્રાપ્ત કરવાથી, સ્વક્ષયને પામે છે, આમાં=સદોષની પ્રાપ્તિથી સ્વક્ષય થાય છે તેમાં, સંશય નથી. કોઈ શ્રાવક સાધુધર્મનું પરિભાવન કરીને રાગાદિ આપાદક કર્મોને તે ભૂમિકામાં ક્ષય કરે જેથી કંઈક ઉદ્યમ કરીને સર્વવિરતિમાં યત્ન કરે તો ઇન્દ્રિયોના વિકારથી પર થઈ શકે તેમ છે તેથી સંયમનો પ્રાપ્ત કાળ છે છતાં સુખશીલતાને કરતો તેનો ત્યાગ કરે નહિ તે તેની મૂઢતા છે. તેથી તે સ્વક્ષયને પામે છે=વિશેષ પ્રકારની ગુણવૃદ્ધિના શક્તિના ક્ષયને પામે છે, પરંતુ ગુણવૃદ્ધિને પામીને હિત સાધી શકતો નથી. એમાં સંશય નથી. II3II શ્લોક ઃ हेयबुद्ध्या गृहीतेऽपि ततो वस्तुनि बुद्धिमान् । तत्त्यागावसरापेक्षी, प्रशंसां लब्धुमर्हति । । ४ । । શ્લોકાર્થ ઃ તેથી હેયબુદ્ધિથી ગૃહીત પણ વસ્તુમાં બુદ્ધિમાન તેના ત્યાગના અવસરની અપેક્ષાવાળો
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy