________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ
૯
શ્લોક :
त्वया कमलपत्राक्षि! येऽस्य संवर्णिता गुणाः । ते तथैव मया सर्वे, दर्शनादेव निश्चिताः ।।५।।
શ્લોકાર્થ :
હે કમલપત્રાક્ષિ પ્રજ્ઞાવિશાલા, આ પુરુષના જે ગુણો તારા વડે વર્ણન કરાયા તે સર્વ દર્શનથી જ મારા વડે તે પ્રકારે નિશ્ચય કરાયા. પા. શ્લોક :
नाहं विशेषतोऽद्यापि, वेदम्यस्य गुणगौरवम् ।
नास्त्यन्यः पुरुषोऽनेन, तुल्य एतत्तु लक्षये ।।६।। શ્લોકાર્ય :
હજી પણ હું વિશેષથી આમના ગુણગૌરવને જાણતી નથી, આમની તુલ્ય અન્ય પુરુષ નથી એ વળી હું જાણું છું. IIઉll શ્લોક :
आसीन्मे मन्दभाग्यायाः, पुरेमं प्रति संशयः ।
गुणेषु दर्शनादेव, साम्प्रतं प्रलयं गतः ।।७।। શ્લોકાર્ધ :
પૂર્વમાં આમના પ્રત્યે=આ સદાગમ પ્રત્યે મંદભાગ્યવાળી એવી મને સંશય હતો, હવે દર્શનથી જ=આ સદાગમના દર્શનથી જ, ગુણોમાં સદાગમના ગુણોમાં, સંશય પ્રલય પામ્યો છે સંશય નાશ પામ્યો છે.
અગૃહીતસંકેતાને સદાગમનો વિશેષ પરિચય નહિ હોવા છતાં તેમના ગુણોને કહેનારી આ કૃતિને જોઈને જ પ્રજ્ઞાવિશાલા દ્વારા વર્ણન કરાયેલા સદાગમના ગુણો વિષયક સંશય નાશ પામ્યો છે અને તેનાથી પોતાને જે ભાવ થાય છે તે ભાવને અગૃહીતસંકેતા પ્રજ્ઞાવિશાલા પાસે પ્રગટ કરે છે. ITI શ્લોક :
निगूढचरिताऽसि त्वं, सत्यं सद्भाववर्जिता ।
यया न दर्शितः पूर्वं, ममैष पुरुषोत्तमः ।।८।। શ્લોકાર્ય :
વળી, અગૃહીતસંકેતા પ્રજ્ઞાવિશાલાને કહે છે. ખરેખર સદ્ભાવવર્જિત=મારા પ્રત્યે સભાવથી રહિત, તું નિગૂઢ ચારિત્રવાળી છો. જેના કારણે પૂર્વમાં મને આ પુરુષોતમ પુરુષ બતાવાયો નહીં. llcil