SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ શાંબ–પ્રદ્યુમ્ન ચત્રિ કેમ બોલે છે ? લેાકેામાં કહેવાય છે કે જૈન સાધુ પ્રાણાંતે પણ અસત્ય વચન બોલતા નથી, પરંતુ આ મુનિ કહે છે એની પાછળ કોઈ રહસ્ય હાવુ જોઇએ.' આ પ્રમાણે તન્મય થઈને વારવાર વિચારતી દુગધાને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. સાધુએ કહ્યા પ્રમાણે પેાતાના પૂજન્માને જોઇને સાધુના ઉપર શ્રદ્ધા ધારણ કરતી, જૈન ધર્માંની પ્રશંસા કરતી દુર્ગંધાએ મુનિને નમસ્કાર કરીને કહ્યું : 'નાથ, અનેક યાનિએમાં ભટકાવનારૂં મારૂં ભવનાટક કેવું થયું ? કયાં મારૂં' બ્રાહ્મણકુલ અને કાં આ નીચ ધીવર કુલ. પૂર્વજન્મનુ' મારૂં' સુંદર રૂપ કયાં અને કયાં આ દુગંધમય કદરૂપપણુ ? મેં પાપિણીએ અહંકારમાં આવીને તપવીની નિંદા કરીને કેવું ધાર કર્માં ઉપાર્જન કરેલું ? તે પાપ કર્યાંના રૂપે મે કેવી કેવી વિડંબનાએ સહન કરી ? હે નાથ, મે* જે સાધુની નિ`દા કરી હતી તે આપ જ છે. તેા હૈ કૃપાલુ, હવે એ પાપમાંથી મારા છૂટકારા કરા. આપ તા સજીવા પ્રત્યે કરૂણા ધરનારા છે. હે મુનિશ્વર, મને તેવા પ્રકારના ધર્મ બતાવા કે નિંદાથી ઉપાર્જન કરેલું ક મને કયારે પણ પીડે નહી.' આ પ્રમાણે કહીને અને પૂર્વજન્મના સ્વરૂપને યાદ કરતી દુર્ગંધા કરૂણ સ્વરે રૂદન કરવા લાગી. ખરેખર, સ્ત્રીએનું રૂદન એ મોટામાં મોટું બળ છે.’ ત્યારે કરૂણાના સાગર એવા મુનિશ્વરે કહ્યું : “વત્સે, તું રૂદન કરીશ નહિ, કરેલા કમ તા આપણે ભેગવવાં જ પડે છે. રાવાથી કંઈ સુખ મલતું નથી. હા, તારે જો સુખની ઇચ્છા હાય તા આત્ (જૈનધર્મ) ધર્મના સ્વીકાર કર. જૈનધર્માંથી અનેક ભવોનાં સંચિત કર્મીના પશુ નાશ થાય છે. કૈવલ્યની પ્રાપ્તિ તેમજ પર પરાએ અનુત્તર એવુ' શાશ્વત્ સુખ પ્રાપ્ત થાય છે. જિનેશ્વર ભગવ ંતાએ બાર પ્રકારના ગૃહસ્થ ધર્મ' બતાવ્યા છે. માટે તું દયામય એવા ગૃહસ્થ ધર્મની આરાધના કર.' આ પ્રમાણે મુનિ ભગવંતના પવિત્ર વચનને પ્રમાણુ કરીને દુર્ગં ધાએ સમ્યકત્વમૂલ બાર વ્રતને ધારણ કર્યાં. નીચકુળમાં ઉત્પન્ન થવા છતાં પણ તેના ભાગ્યયેાગે સાધુ ભગવંત મળ્યા. ધર્મની પ્રાપ્તિ થવાથી ખૂબ હર્ષિત બનેલી દુર્ગંધાએ ફરી ફરીને મુનિને વંદના કરી. મુનિ પણ ત્યાંથી આગળ વિહાર કરી ગયા. શ્રદ્ધાળુ બનેલી ધીવરી (મચ્છીમાર) શ્રદ્ધાપૂર્વક દયાધર્મનું પાલન કરતી ત્યાં રહી હતી. એક દિવસે કાઈ કાય પ્રસંગે તેને અયેાધ્યા નગરીમાં જવાનું થયું'. અયેાધ્યામાં પ્રથમ જિનમંદિરમાં જઈને પરમાત્માની મૂર્તિને ભાવપૂર્ણાંક વંદના-સ્તવના કરી. બહાર મંદિરની પાસે રહેલા ઉપાશ્રયમાં સાધ્વીજી મહરાજને જોઇને ખુશ થઇ. વંદના કરી સાધ્વીજી પાસે બેઠી. સાધ્વીજીએ પૂછ્યું : ‘ભદ્રે, તુ કાણુ છે ? તારી જાતિ કાણુ ? અને કયાંથી આવી છે ?’ તેણે કહ્યું : ‘તપસ્વિની, હું ધીરવ (મચ્છીમાર) જાતિની . દૂરથી આવી છું. હું બહુ દુ:ખી હોવા છતાં આપના દર્શનથી મને ધણુ' સુખ મળ્યું.' સાધ્વીજીએ તેને ધર્મના ઉપદેશ આપ્યા. તેમના ઉપદેશથી ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં વધારા થયા. ચારિત્ર લેવાની પ્રબળ ઇચ્છા છતાં પેાતાનુ' સામર્થ્ય નહિ હાવાથી સાધ્વીજી પાસે રહી. ભક્તિપૂર્વક તેમની વૈયાવચ્ચ આદિ શુશ્રુષા કરતી અનેક પ્રકારની તપશ્ચર્યા શરૂ કરી. સાધ્વીજીએ યાત્રા કરવા માટે રાજગૃહી નગરી તરફ વિહાર કર્યાં. તેમની સાથે ધા પણ જિનચૈત્યાને વંદનાથે સાથે ચાલી. સાધ્વીજી અને ધીવરી પર્વત ઉપર રહેલા જિનચૈત્યને ભાવપૂર્વક વંદના-નમસ્કાર કરીને નીચે ઉતરતાં રાત્રિ થઇ જવાને કારણે પેાતાની રક્ષા માટે એક ગુફામાં રહ્યાં. વીતરાગ પરમાત્માનું ધ્યાન કરતી ઉપવાસી એવી ધીવરી શુઢ્ઢાની બહાર કાઉસ્સગ્ગ ધ્યાનમાં સ્થિર રહી. રાત્રિમાં વાઘણે આવીને તેનુ ં ભક્ષણ કર્યુ". શુભ ધ્યાનમાં મરીને તે ખીજા દેવલાકમાં દેવીપણે ઉત્પન્ન થઈ. ત્યાં ઇષ્ટ એવા સ્વગીય સુખાને ભાગવી, આયુષ્યક્ષયે ત્યાંથી ચવીને
SR No.022712
Book TitleShamb Pradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1990
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy