SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ દાન વર્ષભર દરરોજ એક પ્રહર સુધી કરતા હોય છે. આ એક પ્રહરમાં તેઓ એક કરોડ એસી લાખ સોનૈયાઓનું દાન કરવા લાગ્યા. તેનો ઉદ્દેશ સામાન્ય લોકોમાં દીક્ષાની પૂર્વે જ ભગવાનનું વૈશિસ્ત્ર સ્થાપિત કરવાનું હોય છે. આ બહાને અનેક પરિચિત-અપરિચિત વ્યક્તિઓનો સાક્ષાત્કાર થઈ જાય છે. આ દાનને અમીર-ગરીબ સૌકોઈ ગ્રહણ કરે છે. તેની સઘળી વ્યવસ્થા દેવોના હાથમાં હોય છે. તીર્થકર તો માત્ર પરંપરાના નિર્વાહના માત્ર નાયક જ હોય છે. ભગવાન અજિતનાથે પણ એ પરંપરાનું પાલન કર્યું અને એક વર્ષ સુધી વર્ષીદાન કર્યું. આ અવધિમાં કુલ ત્રણ અરબ, ઈક્યાસી કરોડ, એસી લાખ સોનૈયાનું દાન કર્યું. દીક્ષા વર્ષીદાન પછી જ્યારે અજિતનાથ દીક્ષા માટે તત્પર થયા ત્યારે રાજા સગરે ભગવાનનો દીક્ષા-મહોત્સવ ઉજવ્યો. ચોસઠ ઈદ્ર એકત્રિત થયા. સુસજ્જ સુખપાલિકામાં બેસાડીને ભગવાનને સહસ્રાઝ ઉદ્યાનમાં લાવવામાં આવ્યા. ત્યાં ભગવાન એક હાર અન્ય રાજાઓ, રાજકુમાર તેમજ પ્રજાજનો સાથે દીક્ષિત થયા. દીક્ષા લેતી વખતે ભગવાનને છઠ્ઠનું તપ ચાલતું હતું. બીજા ક ભગવાન શ્રી અજિતનાથ ૫૧
SR No.022702
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumermal Muni, Rohit Shah
PublisherAnekant Bharti Prakashan
Publication Year1996
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy