SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ અવંતિનું આધિપત્ય | ૭૧ છે, તે પછી મહાવંશ પ્રમાણે નન્દોથી ભિન્ન અને ૧૦૦ વર્ષ રાજત્વકાલવાળા, અનુરૂદ્ધ-મુણ્ડથી લઈ કાલાસોકના પુત્ર સુધીના મગધ સામ્રાજ્ય જેવા સામ્રાજ્યના રાજકર્તાઓ શા માટે ૌદ્ધગ્રંથો સિવાય અન્યત્ર પ્રસિદ્ધ નથી ? તેનું કારણ, તેઓ પાટલીપુત્ર સિવાય અન્ય સ્થળના–વૈશાલી કે રાજગૃહીના માંડલિક રાજકર્તાઓ હશે, તે સિવાય બીજું સંભવિત નથી. નાગદાસક એ ઉદાયી પછીનો રાજા છે એમ બૌદ્ધગ્રંથો કહે છે, તેને પુરાણ પ્રમાણે ઉદાયીની પહેલાંના વંશક સાથે કેવલ રાજવકાલની સમાનતા માત્રથી એક માની શકાય નહિ. પુણે એ રાજાનાં ભિન્ન ભિન્ન નામ લખે છે. તેમાં નાગદાસક નામ જોવામાં આવતું નથી. ઘણાંખાં પુરાણે મહાપદ્મથી જ નન્દવંશની શરૂઆત ગણે છે, તે પછી મહાપદ્મની પહેલાંના અને બૌદ્ધગ્રંથોમાંના નવનદની પહેલાંના અનુક્રમે નન્દિવર્ધન, મહાનન્દી તથા નાગદાસક, યુસુનાગ, કાલાક અને કાલાસોકના પુત્ર, એ રાજાઓને નજવંશના ગણવે એ દેખીતી રીતે જ વિરુદ્ધ છે. બાદ્ધગ્રંથોક્ત રાજવંશાવલી નવન વિષે ગેરસમજ ધરાવે છે, એમ માનવામાં આવે તે જ કાલાસોકને નજ માની મહાપર્મની સાથે એકતા સાધવાને પ્રયત્ન થાય. મહાપદ્મની પહેલને નન્દિવર્ધન એ તે પુરાણ પ્રમાણે નન્દ છે જ નહિ તો પછી તેને પહેલા નન્દ તરીકે કહે એ નકામું જ છે. કલાકનો રાજવંકાલ બુ. નિ. ૯૦ વર્ષે શરૂ થાય છે. મ. નિ. થી ૭ વર્ષે બુદ્ધપરિનિર્વાણુ થયું હતું એ માન્યતાને ઘડીકભર જતી કરી મ. નિ. V. ૧૭ વર્ષ બદ્ધપરિનિર્વાણ માનીએ તે કાલાકને રાજયારંભ મ. નિ. ૭૩ વર્ષે આવે. જૈનગ્રંથે પ્રમાણે મ. નિ. ૬૦ વર્ષ અવન્તિ પર નન્દનું આધિપત્ય મનાયું છે. અને પુરાણ પ્રમાણે મહાપદ્મ નામના પહેલા નન્દથી પૂર્વે નન્દિવર્ધન થયે છે, એટલે અવન્તિને એ વિજેતાને સમય પણ મ. નિ. ૨૦ વર્ષ પૂર્વે જ શરૂ થયેલ હોવો જોઈએ. આવી સ્થિતિમાં મ, નિ. ૭૩ વર્ષે રાજ્યારંભવાળે અને મ. નિ. ૬૦ વર્ષ પૂર્વે રાજ્યારંભવાળે અનુક્રમે કાલાક ને નન્દિવર્ધન એ બન્ને એક હતા એમ કહેવું અસંભવિત છે. ભિન્ન ભિન્ન નામવાળા અને રાજત્વકાલવાળા રાજાઓને માત્ર કલ્પનાથી જ એક માની લેવા એમાં ઉપલકીયા હકીકતે ન જ કામ લાગે. એને માટે સ્પષ્ટ પ્રામાણિક ઉલેખ જોઈએ. કેઈ જેવા તેવા સ્થળને કોઈ એક સામાન્ય જ હોય તે જુદી વાત છે. બૌદ્ધગ્રંથક્ત રાજવંશાવલીને જૈન સાહિત્યની સાથે તે નહિ જે જ મેળ છે. એ વંશાવલી પ્રમાણે શ્રી મહાવીરના કૈવલ્યથી પ કે ૭ વર્ષે શ્રેણિકના રાજ્યનો અંત આવે છે. જૈનગ્રંથમાં આલેખેલા વિદ્યુમ્માલી દેવના પ્રસંગથી અને દુર્ગન્યાના પ્રથમ દર્શનથી લઈ પટરાણ થવાના પ્રસંગથી અનુક્રમે ૧૪ અને ઓછામાં ઓછાં ૨૦ વર્ષ સુધી શ્રેણિકનું રાજ્ય સંભવે છે, પાટલીપુત્રના સિંહાસને અનુરૂદ્ધમુડારિ રાજાઓ થયા નથી, ઉદાયી અપુત્રી હતું, તેના પછી ન આવ્યા છે, નન્દોને રાજ્યારંભ મ. નિ. ૬૦ વર્ષે છે, નનોના ૨. જ્યને અંત મ. નિ. ૧૫૫ વર્ષે થયે હતે, નન્દોને રાજવકાલ ૯૫ વર્ષ અથવા ચાલુ સંપ્રદાય પ્રમાણે ૧૫૫ વર્ષ છે, વિગેરે વિગેરે જેનગ્રંક્ત અનેક ઉલે બોનો બૌદ્ધવંશાવલીની સાથે મેળ મળતું નથી, આ ઉપરોક્ત હકીકતથી સ્પષ્ટ સમજાય છે કે, અજાતશત્રુથી આગળ ચાલતી એ
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy