SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ અવંતિનું આધિપત્ય રાજા સત્યજિત અવન્તિના સિંહાસને આવ્યું હતું. વંશાવલીન લેખકે અવનિના રાજકર્તાઓ તરીકે મહીનેત્રાદિ છ રાજાઓ નેધ્યા છે પણ સામયિક ક્રમમાં દઢસેન નામના સોળમાં બહદુરથ પછી સત્તર બહદુરથ સત્યજિત જ નાંધી શકાય તેમ છે. દસેથી મગધના બહ રથોની વંશાવલી બંધ થાય છે તેથી સ્પષ્ટ છે કે, આ પછી થોડાંક વર્ષોમાં શિશુનાગ મગધના ગિરિજે આવ્યો હતો. આ લેખની ગણના પ્રમાણે દઢસેનના રાજ્યાંતથી ૧૨ વર્ષ શિશુનાગ મગધપતિ થયે હતો. પિરાણિક ગણના મુજબ દઢસેનના રાજ્યાંતથી ૧વર્ષે અને આ લેખની ગણના મુજબ દસેનના રાજયાંતથી ૧૦ વર્ષ સત્યજિતને રાજ્યારંભ આવતું હોવાથી સત્યજિત્ના રાજ્યારંભ પછી ૧૧ વર્ષે અથવા ૨ વર્ષે શિશુનાગ મગધાધીશ બન્યો હતો. શિશુનાગ ગિરિત્રજમાં આવ્યા પહેલાં કાશીમાં રાજકર્તા હતા, તેથી સમજાપ છે કે આ પહેલાં કાશીના બહદરથનું રાજ્ય સમાપ્ત થઈ ચૂકયું હતું. કાશીના રાજ્ય ગુમાવનાર બહદરથરાજાનું નામ માપણને જાણવા મળતું નથી, પણ શંકા થાય છે કે, સત્યજિત કે જે બાળરાજા હાવાને સંભવ છે તે તે નહિ હોય. બનવા જોગ છે કે, સત્યજિત ગમે તે સંજોગોમાં વીતિ ની પાછળ અવન્તિના સિંહાસને આવ્યું હોય. જે આમ જ હેય તે, મહીનેત્રાદિ છે મગધથી અન્ય સ્થળના એટલે અવન્તિના રાજાએ કહ્યા છે, પણ ખરી રીતે સત્ય આદિ ત્રણ જ રાજાઓ અવન્તિના રાજક્તએ હઈ શકે અને તેઓની પહેલાંના મહીનેત્રાદિ ત્રણ રાજાઓ કાશીના રાજકર્તાઓ હાય. આ રીતે પણ એ છ રાજાઓ મગધથી અન્ય સ્થળના તો છે જ. મગધના-(૧) નિવૃત્તિ ૫૮ વર્ષ, (૧૫) ત્રિનેત્ર ૨૮ વર્ષ, (૧૬) દસેન ૪૮ વર્ષ, આ ત્રણ રાજાઓના સમકાલીન મહીનેત્ર ૩૩ વર્ષ, સુચલ ૩૨ વર્ષ, નેત્ર ૪૦ વર્ષ, એ ત્રણ રાજાઓને સમુચ્ચય રાજત્વકાલ ૧૦૫ વર્ષ છે. એ હિસાબે સત્યજિના રાજ્યારંભથી ૧૦૫ વર્ષ પૂર્વે, અને સત્યજિતના રાજ્યારંભથી ૭૨૪ વર્ષ પૂર્વે, આ લેખની ગણના પ્રમાણે ૭૩૩ વર્ષ પૂર્વે, મોમાધિને રાજ્યારંભ થયો હતે એટલે સોમાધિથી ૬૧૯ અથવા ૬૨૮ વર્ષે મહીનેત્રને રાજ્યારંભ આવે. આ સમય મ. નિ. પૂ. ૩૨૧ અથવા ૩૧૨ (વિ. સં. પૂ. ૭૩૧ કે ૭૨૨, ઈ. સ. પૂ. ૭૮૮ કે ૭૭૯) છે. મ. નિ. ૫. ૨૫૦ વર્ષ નિર્વાણ પામેલા શ્રી પાર્શ્વના નિ થી ૭૧ વર્ષ પૂર્વે મહીનેત્રને રાજ્યારંભ થયે હતું કે નહિ, તેને રાજ્યારંભ કાશીમાં થયે હતો કે અવન્તિમાં થયો હતો, અને જે અવન્તિમાં થયે હતો તે વીતિeત્રાની પાછળ એ કેવા સંજોગોમાં આવ્યા હતા, તથા મહીનેત્ર કાશીની ગાદીએ ન આવ્યું હોય તે બહદુરથરાજા–અશ્વસેનની વંશાવલીમાં કોણ કેણ રાજાઓ થયા અને તેની પાસેથી વાહીકકુલના લોકેએ (શિશુનાગનું કુલ વાહક છે) કાશીને જીતી લીધી, આ સર્વ એક સંશોધનને વિષય છે. મારી તે કલ્પના છે કે, શ્રી પાર્શ્વનાથે આ સમયે એટલે સવનિર્વાણુથી ૭૧ વર્ષ પૂર્વે (મ. નિ. પૂ. ૩૨૧) દીક્ષા લેવાની જાહેરાત કરતાં, તેમના પિતાએ મહીનેત્રને કાશીનું રાજ્ય સેપ્યું તે નહિ હોય, પણ આને પુરા શોધ જોઈએ. બાકી, સેમાધિથી દસેનના જ્યાંત સુધી સમુચ્ચય રાજત્વકાલ ૭૨૩ વર્ષ નેવ્યો છે પરંતુ પ્રત્યેકના રાજત્વકાલને સરવાળે જે ૭૦૪ થાય છે તે અશુદ્ધિનું પરિણામ છે. મહીનેત્રાદિ છ રાજાઓને સમુચ્ચય
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy