SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ અવંતિનું આધિપત્ય સિદ્ધ આર્યખપુટાચાર્ય અને જતિષનિમિત્તવેત્તા કાલકાચાર્ય નામના સૂરિવારો વિદ્યમાન હતા. મ. નિ. ૩૭૬-ઈ. સ. પૂ. ૯૧ વર્ષે યુગપ્રધાનપદે આવનાર આ શાંડિલ્યના શિષ્ય વૃદ્ધવાદી અને એ વૃદ્ધવાદીને શિષ્ય સિદ્ધસેન દિવાકરના સંબંધમાં જૈનગ્રંથે આવી રીતે લખે છે – क्विाधरवराम्नाये, चिन्तामणिरिवेष्टदः । भासीच्छ्रीस्कन्दिलाचार्यः, पादलिप्तप्रभोः कुले ॥५॥ પ્રભાવક ચરિત-વૃદ્ધવાદિરિવરિત (સિં. જે. ગ્રંથમાલા) પૃ. ૫૪ હિમવદાચાર્ય હિમવંતરાવલીમાં પોતાની પૂર્વે થયેલા નજીકના યુગપ્રધાન સ્કંદિલાચાર્ય વિષે આવી રીતે લખે છે : xx x સિંહાલા સિવા અમારા રે ૪ વાક્ષીવિદારાણોદક્ષિતા સમવન ! तेषामार्यसिंहाना स्थविराणां मधुमित्राऽऽर्यस्कंदिलाचार्थनामानौ द्वौ शिष्यावभूताम् । xxxx आर्यस्कंदिलाचार्यसम्बन्धश्चैवम्-उत्तरमथुरायां मेघरथामिधः परमः श्रमणोपासको जिनामा प्रतिपालको द्विजोऽभवत् । तस्य रूपसेनाऽमिधा सुशीला भायौऽऽसीत् । तयोः सोमरथाभिधः सोमस्वप्नसूचितः सुतो बभूव । अथैकदा ते ब्रह्मद्वीपिकशाखोपलक्षिताः सिंहाचार्या विहारं कुवन्तः क्रमेणोत्तरमथुरोद्याने समागताः । तेषां धर्मदेशनां निशम्य જાતક રોમથેન વાર્ષિ હીરામ ” હિમ થેરા૫. ૯, ૧૦, (મુદ્રિત) ઉપર આપેલા હિમવંત થેરાવલીના ઉલેખને અભિપ્રાય એ છે કે, બ્રહ્મદીપિક શાખાથી ઉપલક્ષિત આયસિંહરિએ ઉત્તર મથુરાના ઉદ્યાને વિચરતાં ત્યાંના શ્રાવક મેધાથના રૂપસેના સ્ત્રીથી જન્મેલ પુત્ર સમરથને ધર્મને ઉપદેશ કરતાં તેણે વૈરાગ્યથી ચારિત્ર અંગીકાર કર્યું હતું. આ ઉલ્લેખ પછી કંદિલાચાર્યની માધુરીવાચનાનો પ્રસંગ લખવામાં આવ્યો છે તે પરથી સૂચિત થાય છે કે, આ સમરથ માધુરી વાચનાના પ્રવર્તક સકંદિલાચાર્ય હતા. નંદિ સ્થવિરાવલી, કે જે માથરીવાચનાનુસારિણી યુગપ્રધાન પદાવલી છે, તેમાં ઉપરોક્ત હિમવત રાવલીથી નિર્દિષ્ટ સ્કંદિલાચાર્ય એ ૨૫ મા યુગપ્રધાન છે. તેઓ સુસ્થિત-સુપ્રતિબદ્ધથી નીકળેલા કોંટિક ગણુના અને આર્યસિંહગિરિના શિષ્ય આર્યસમિત (મ. નિ. ની પાંચમી સદીના આશરે છેલ્લા ચરણમાં દીક્ષિત અને આર્ય વજના મામા) થી અચલપુર નિકટના બ્રહ્મદીપમાંથી નીકળેલી બ્રહ્મદ્દીપિકા શાખાના હતા. તેઓને યુગપ્રધાનત્વકાલ હિ૦ થ૦ પ્રમાણે મ. નિ. ૮૨૩–૯૭૨ સુધી હતા, જ્યારે વા વા પ્રક મનિ. ૮૨૭-૮૭૫ અને મા વાપ્રમાનિ. ૮૧૩–૯૮૨ સુધી આવે છે. તેઓ તત્વાર્થ મહાભાષ્ય અને આચારાંગાદિ વિવરણના ર્તા સિદ્ધસેન ગહસ્તિના કાકા ગુરુ અને ગબ્ધહસ્તિના ગુરુ મધુમિત્રના લઘુ ગુરુબધુ હતા પ્રભાવકયરિતકાર, જે કંદિલાચાર્યને વિદ્યાધરાસ્નાયના, પાદલિપ્તકુલના અને સિદ્ધસેનના ગુરુ વૃદ્ધવાદિના ગુરુ તરીકે લખે છે તેઓ બ્રહ્મઠીપિક સ્કંદિલથી ભિન્ન હેઈ ખરી રીતે તેમનું નામ સ્કંદિલ નહિ, પણ શાંડિલ્ય છે કે જેઓ નંદિ સ્થવિરાવલીના ૧૪ માં અને વલભી સ્થવિરાવલીના ૧૩ મા યુગપ્રધાન છે અને સર્વશ્રુતાનુયોગને પલ્લવિત કરવામાં મેઘસમાન છે. આમ બહ્મદીપિક સ્કંદિલથી વિદ્યાધરાસ્નાયના શાંડિલ્ય એ ભિન્ન હેઇ, તેઓ પાદલિપ્તકુલના એટલે પાદલિપ્તરિના સંતાનો છે. મ. નિ. ની ચોથી સદીથી પૂર્વે થઈ ગયેલા એ પાદલિપ્તસૂરિ વિષે
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy