SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ અવંતિનું આધિપત્ય. ૧૬૧ પિતાના સસરાના હતા બાદ ૧૫ વર્ષે કાબુલ તરફ હલો લઈ જઈ કાબુલને જીતી પંજાબ અને સિન્ક પર અધિકાર જમાવવા પ્રયત્ન કરી રહ્યો હત૨૪ ત્યારે તેની ગેરહાજરીમાં યુકેટિસે બળ જગાવી પિતે બેકિયાનો રાજ બની બેઠા. આવી રીતે ડિમેટ્રીયસ પોતાની મૂળ બેકિટ્યની ગાદી ગુમાવી બેસતાં તે હવે પોતાના જીતેલા ભારત પ્રદેશમાં જ સાકલમાં (શ્યાલકોટમાં) રાજધાની રાખી શાસન કરવા માંડયો. આ ઘટનાનો સમય મ. નિ. ૨૨ (ઈસ. પૂ. ૧૭૫) લગભગ છે, કે જે સમય સંપ્રતિના રાજ્યાંતની નજીક હાઈ મૌર્ય સામ્રાજ્યના પ્રતાપની અને લશ્કરી વ્યવસ્થાની તથા એકકેન્દ્રીય મજબૂત ભાવનાની ઊતરતી કળાને સૂચક છે. યુક્રેટિસ બહખને રાજા બની બેસી રહે નહિ, પણ કહે છે કે ડિમેટ્રીયસના એ પ્રતિસ્પર્ધીએ ડિમેટોયસ પાસેથી હિંદનો કેટલાક પ્રદેશ પણ જીતી લીધે, પરંતુ એ વિજેતા સ્વદેશ જતાં તેના પુત્રના હાથે જ મૃત્યુ પામ્યો. આ અરસામાં એટલે મ. નિ. ૩૦૭( ઈ. સ. પૂ. ૧૦)ની લગભગમાં એક મીન્ડર નામની એતિહાસિક જાણીતી વ્યક્તિ દેખાવ દે છે. મીન્ડર એ ડિમેટ્રીયસ અને યુકેટિસ એ બેમાંથી કોના વંશજ તરીકે અને કેના સટ્ટાર તરીકે હતા, આ વિષયમાં સંશોધકો વચ્ચે મતભેદ છે, પરંતુ તે કાબુલના રાજકર્તા તરીકે જાણીતું છે. તેણે મ. નિ. ૩૧૧ કે ૩૧ર (ઈ. સ. પૂ. ૧૫૫-૧૫૬)ની લગભગ ભારત પર ચઢાઈ કરી અને પંજાબ તથા સિન્યના પ્રદેશને જીતે તે મથુરા, રાજપુતાના અને કછ-સોરઠ તરફ આગળ વધે હતે. મીર મથુરા આવી પડે ત્યારે તેને સામને કરવા પુષ્યમિત્રને તે તરફ સન્ય દેરવાની જરૂરીયાત પડી હતી. કેટલાક કહે છે કે, “મીન્ડર મથુરા નગરી કબજે કરી હતી, સાકેત અને રાજપૂતાનાની મધ્યમિકા નગરી પર ઘેરો ઘાલ્યું હતું અને પાટલી. પુત્ર સુદ્ધાં ભયમાં આવી પડયું હતું. ૨૨૫ ” આપણે આ વિષેની સ્પષ્ટ વિગત ન મેળવી (૨૨૪) સંશોધકે આ બીના બન્યાને સમય મ. નિ. ર૭૧ કે ૨૭૭ (ઇ. સ. ૫. ૧૯૧ કે ૧૯૦) મુકે છે; પરંતુ મી. સ્મીથના કથન મુજબ (હિ. પ્રા. ઇ. પૂર્વાધ પૃ. ૩૦૧ ) આ સાલા અડસટે જ તાલાવેલી છે. મને લાગે છે કે, ડિમેટ્રીયસની કાબુલ પરની ચઢાઈઓ આ સમયથી શરૂ થઈ હશે, પણ તે સામને કરી પાછી વાળવામાં આવતી હશે. આમ છતાં સંપતિના મરણ બાદ કે તેના મરસુના એકાદ બે આગલા વર્ષોમાં મૌને સામને તૂટી જતાં ડિમેટ્રીય કાબુલને જીતી ભારે વેગથી પંજાબ અને સિંધ તરફ ધસી આવી તેને કબજો મેળવવા શક્તિમાન થયા હશે. આ સમયે કાશ્મીરના સુબા અશોકપુત્ર જલોકે એ પરદેશીઓને હાંકી કાઢવા ભારે ભાગ ભજવ્યો હતો એમ કહેવાય છે, પરંતુ તેણે સ્વતંત્ર થવાની ખુમારીમાં મગધ સામ્રાજ્યની–ઉજયિનીની મદદ અને સંપર્કની બેદરકારી રાખી હશે. પરિણામે, એ પરદેશીઓ-એકિટ્રયને–-ડિમેટ્રીયસ સિન્ય અને પંજાબને હસ્તગત કરવામાં ફાળે હશે, આ ઉપરથી એમ સમજાય છે કે, સંપ્રતિ પોતાના રાજત્વકાલનાં છેલ્લાં વર્ષોમાં ધાર્મિક જીવનમાં ઝળહળ હશે પણ રાજકીય જીવનમાં તેની ઊતરતી કલા હશે, (૨૫) પતંજલીના મહાભાષ્યમાં આપેલાં ઉદાહરણો અને ગાગસંહિતાની ભવિષ્યવાણી પરથી એ “કેટલાકે'નું હિન્દુસ્તાનને પ્રાચીન ઇતિહાસ અને ભારત પ્રાચીન રાજવંશના કર્તાઓનુંકથન છે. ૨૧
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy