SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૫૦ અવંતિનું આધિપત્ય, બૌદ્ધગ્રંથ, પુરાણ અને હિમવંત રાવલીની મૂળ યાદીઓમાં પરસ્પર સ્થળ, ક્રમ, રાજત્ત્વકાલાદિમાં મતાન્તર છે, પણ એ યાદીમાં જે નામો આપવામાં આવ્યાં છે તે રાજાઓનું અસ્તિત્વ જરૂર હોવું જ જોઈએ, અન્યથા એ નામે તે યાદીમાં દાખલ થાય જ નહિ. હવે જે એ રાજાઓનું અતિસવ નકકી છે તો તેમના સ્થળને સૌથી પ્રથમ વિચાર કરે જોઈએ. અશોક પાટલીપુત્રનો સમ્રાટું હતું એ સર્વસમ્મત હકીકત છે. દિવ્યાવદાનાદિ બૌદ્ધગ્રંથે અને જૈનગ્રંથ લખે છે કે, અશોક પછી સંપદી કે સંપ્રતિ પાટલીપુત્ર પર અભિષિક્ત થયું હતું એ પરથી નક્કી થાય છે કે, અશોક અને સંપ્રતિ એ બે સમ્રાટ વચ્ચે પુરાણે, જે સુયશા (કુણાલ) અને દશરથ એ બે રાજાઓનાં નામો નેધે છે અથવા તે કઈ સ્થળે એકલા દશરથનું નામ નેંધે છે, તે નેધ બરાબર નથી. સુયશા (કુણાલ) ઉજજયિનીમાં રહેતાં પાટલીપુત્રને યુવરાજ હતું, પણ તે કયારેય કોઈ સ્થળનો રાજા બન્યો નથી. અશોકે અંધ બનેલા એને પાટલીપુત્રનું મહારાજ્ય આપ્યું છે, પણ તે તેના પુત્ર સંપ્રતિ માટે. પુરાણેએ સંપ્રતિને રાજ્યાભિષેક ન થયે ત્યાં સુધી તેને જ રાજા માની લીધું હોય એ બનવા જોગ છે, પરંતુ તે ખાલી ભ્રમ જ છે. ખલતિક પર્વત ઉપર આજીવિક સાધુઓને કરાયેલા ગુફાદાન સંબંધી લેખેથી એ સિદ્ધ છે કે, “દેવાનાં પ્રિય”ની પછી દશરથને અભિષેક થયું હતું. આ “દેવાનાં પ્રિય” જે અશક છે અને તેના પછી દશરથને અભિષેક છે તે, અશોક પછી દશરથ રાજા થયો છે, એમ જે કહેવામાં આવે છે તે સત્ય જ છે, પરંતુ જ્યારે અશોક પછી સંપ્રતિનું પાટલીપુત્ર પર આવવું થયું છે એમ બૌદ્ધગ્રંથ ને જેન કહે છે ત્યારે, અશક પછી તરત જ કે ચેડાંક વર્ષ પહેલાં આવેલો દશરથ પાટલીપુત્ર સિવાય કેઈ અન્ય સ્થળે અભિષિક્ત થયેલા હે જોઈએ એવા અનુમાન પર આવવું પડે છે. સંભવ છે કે, રાજગૃહીની જૂની પેટા શાખા પર તે અભિષિક્ત થયા હશે, અને એ અભિષેકને સમય મ. નિ. ૨૪૪ વર્ષે અથવા તેથી અમુક વર્ષ પહેલાં હશે.૨૧° આ રીતે સંપ્રતિ અને દશરથના રાજવંકાલની (૨૧૦) પરાણે દશરથને રાજત્વકાલ ૮ વર્ષ લખી તેને સંપ્રતિની પૂર્વે લાવતા હોવાથી તે મ. નિ. ૨૪૪ વષે સંપતિ પાટલીપુત્રની ગાદી પર આવ્યો તેથી ૮ વર્ષ પૂર્વે એટલે મ. નિ. ૨૩૬ વર્ષે રાજગૃહીની ગાદી પર આવ્યો હોય તે પણ ના નહિ. વળી પુરાણાએ સંમતિના રાજત્વાભિષે પછી દશરથનો રાજગૃહી અને પાટલીપુત્ર પરનો રાજત્વકાલ ગણ્યા જ નહિ, કારણ કે તેને તે વખતે પાટલીપુત્રમાં સંપ્રતિનો રાજવંકાલ નધિ હતો. તે રાજસ્થળના જુદાં જુદાં સ્થાને ઉલેખતી ન હોવાથી એક સાથે બે રાજાઓને એક જ સ્થળે-પાટલીપુત્રમાં કેવી રીતે નાંધી શકે ? વળી સંપ્રતિના રાજ્યાભિષેક પૂર્વનાં એટલે અશોકના રાજત્વકાલનાં છેલ્લા ૮ વર્ષ પુરાણાએ, અશે પિતાનું રાજય સંપ્રતિ માટે કુણાલને આપવાનું જ નહિ પરંતુ આપ્યાનું સ્વીકાર કર્યો છતાં અશોકના રાજત્વકાલમાં જ ગયાં છે અને સાથે સાથે તે ૮ વર્ષ કુણાલનાં પણ ગયાં છે. પાટલીઅત્રની ગાદીનાં ૮ વર્ષ આમ બેના નામે ચડયાં છે, એટલું જ નહિ, પરંતુ તે ૮ વર્ષ રાજગૃહીના
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy