SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ સમાજમાં માટે ગડબડાટ ઉભું કરી રહ્યા છે અને પાપ પુણ્યને આશ્રય લઈને વગર સમ ભેળી ભટાક શ્રાવકોને ભડકાવી રહ્યા છે કાચું પાણી પીવાથી જે ફળ પીનારને થાય, એજ ફળ પાનારને થાય અને એજ ફળ એનું અનુદન કરનારને થાય. એજ પ્રમાણે ખાવાનું પણ સમજી લેવું. જૈન સાધુઓ ભાગવતી દિક્ષા અંગીકાર કરે છે ત્યારે પાપ કર્મ નહિ કરવાનાં પચ્ચખાણ કરે છે. એને સીધે અર્થ એ થાય છે કે જે કરણ કરવાથી સાધુઓનાં સાધુપણામાં અતિચાર લાગે કે ભંગ થાય તે સઘળી પાપ કરણી છે જે કરણ કરવાથી સાધુઓને પાપ લાગે તેજ કરણી શ્રાવક કરે તે તેને પણ પાપજ લાગે પણ પુણ્ય થાય નહિ. પુણ્ય થવાની વાત કહે છે તે તે બ્રાહ્મણ ધર્મની વાત છે, પણ જૈન ધર્મની તેવી માન્યતા નથીજ. બ્રાહ્મણ ધર્મમાં ચાર વર્ણ અને ચાર આશ્રમનાં ધર્મ જુદા જુદા માનેલા છે પણ જૈન ધર્મમાં તે ઘરબારી હિય કે ત્યાગી હોય, એ સઘળા માટે ભગવાને એકજ ધર્મ પ્રકાશે છે. એકજ ધર્મ છે અને શ્રાવકે એનું અંશે પાલન કરે છે અને સાધુઓ સંપૂર્ણ પાલન કરે છે.
SR No.022688
Book TitleJain Shwetambar Sampradayno Itihas
Original Sutra AuthorN/A
AuthorGokuldas Nanjibhai Gandhi
PublisherGokuldas Nanjibhai Gandhi
Publication Year1941
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy