________________
૨૪
કમસિદ્ધાત સંબધી સાહિત્ય
[ ખડ ૧ :
અબાધાકાળ, (૫) એક મુહૂર્તમાં ક્ષુલ્લક ભાની સંખ્યા, (૬) ગુણસ્થાનમાં સ્થિતિબંધ, (૭) એકેન્દ્રિયાદિના સ્થિતિબંધનું અ૮૫બહત્વ, (૮) સાન્તર અને નિરંતર બંધનાં ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટતર કાલમાન, (૯) વગણનું સ્વરૂપ, (૧૦) ગુણશ્રેણિઓ, (૧૧) ગુણસ્થાનનું જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંતરાલ, (૧૨) પપમનું સ્વરૂપ, (૧૩) પુદ્ગલ–પરાવર્તનું સ્વરૂપ તેમ જ (૧૪-૧૫) ઉપશમશ્રેણિ અને ક્ષેપક-ણિ એમ બે શ્રેણિ.
પ્રણેતા -બન્ધસયગના પ્રણેતા શિવશર્મસૂરિ છે એમ આની ચુણિ (પત્ર ૧)માં કહ્યું છે. આ બાબત તેમ જ આ સૂરિએ આ કૃતિ એક સો (૧૦૦) ગાથામાં રચી છે એમ આ બન્નસુયાગની વૃત્તિને લગભગ પ્રારંભ (પત્ર ૧ આ)માં “મલધારી” હેમચન્દ્રસૂરિએ કહ્યું છે. તેમ કરતી વેળા વૃત્તિકારે શિવશરિને અંગે બે વિશેષણ વાપર્યા છે : (૧) બૃતસાગરના જળને પ્રાપ્ત કરેલા અને (ર) અનેક વાદયુદ્ધોમાં વિજયી. બન્ધસયગની યુણિ (પત્ર ૧ અ)માં બન્યસયગના કર્તા શિવશર્મસૂરિની વિદ્વત્તા ઈત્ય દિ દર્શાવતું વિધાન નીચે મુજબ છે –
“ન્દ્રિત થાય-કારણ-પ્રકૃતિ-સિદ્ધારૂ-વિજ્ઞાાન મળે वायसमालद्धविजएण सिवसम्मायरियणामधेज्जेण कयं” ।
આ ઉપરથી જાણી શકાય છે કે (૧) બંધસયગના કર્તાનું નામ “શિવશમન' છે, (૨) એ આચાર્ય છે, (૩) એઓ શબ્દ, તક, ન્યાય, પ્રકરણ, કર્મપ્રકૃતિ અને સિદ્ધાંતના વિશિષ્ટ જાણકાર છે તેમ જ (૪) એમણે અનેક વાદમાં વિજય પ્રાપ્ત કર્યો છે.
'વિવરણાત્મક સાહિત્ય-જિ૦ ૨૦ કો૦ (વિ. ૧, પૃ૩૬૯૩૭૦) પ્રમાણે બંધસયગ ઉપર ચાર ભાસ છે: (૧) ૨૫ ગાથાનું
૧. આને અંગે બન્ધસયગ અને એનાં વિવરણનું સરવૈયું” નામના લેખમાં મે કેટલીક માહિતી આપી છે. આ લેખ “જે, ધ. પ્ર.” (પૃ. ૮૦, અં. ૮)માં છપાયો છે.