SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ | વિક્રમચરિત્ર યાને કાટિલ્ય રાજાની વાણી સાંભળી વૈતાળે કહ્યું. અરે રાજન? એક પુષ્પ સમાન કેમળ બાળા માટે આટલો બધો પ્રયાસ? આટલું બધું કૌટિલ્ય! કહે તો એને ઉપાડી લાવી અહિં હાજરકરૂં! અને તમારીદાસી બનાવું?” નહિ? અમે અમારી શક્તિથી જ એને મેળવીશું. યુક્તિ પ્રયુક્તિથી જરૂર એને વશ કરીશું. શાલિવાહન રાજા નેધરને ભકત હેવાથી એણે પોતાની ભક્તિ માટે ઋષભદેવનું મંદિર બંધાવ્યું છે.તેથી આપણે ત્રણે જણ આદિવ્ય આભુષણ પહેરીને દેવ સરખા બની જીવનમંદિરમાં જઈએ ત્યાં માનવીને અપૂર્વ એવું રૂષભદેવ આગળ આપણે નૃત્ય કરીએ.” રાજાનું વચન બને એ માન્ય કર્યું દિવસ અસ્ત થયા પછી ત્રણે જણા રૂષભદેવના ચૈત્યમાં આવી મેટી ભક્તિએ કરીને યુક્ત ગીત ગાન સહિત નૃત્ય કરવા લાગ્યા, ભવને નાશ કરનારી રૂડી ભાવનાએ કરીને રાજાએ પ્રભુની સંગીતથી ભક્તિ કરી કહ્યું છે કે, दारिद्र नाशनंत दानं, शोलं दुर्गति नाशनं વજ્ઞાન નારિન પ્રજ્ઞા, માવના માનારાના ? ભાવાર્થ–દાનથી દરિદ્રતા નાશ પામે છે, શીલ દુર્ગ તિને નાશ કરે છે, જ્ઞાન અજ્ઞાનને નાશ કરનાર છે, ત્યારે ભાવના ભવરૂપી બધા સંસારને નાશ કરે છે. બીજે દિવસે પણ પ્રાત:કાળમાં પહેલા એ ત્રણે જણ દેવ સ્વરૂપ ધારણ કરીને જીનેશ્વરની આગળ નૃત્ય, ગાન કરવા લાગ્યા. તે અવસરે પુજારી અહંતની પૂજા કરવાને માટે આ દેવ સરખા સ્વરૂપવાળા આ ત્રણેને મંદિરમાં સંગીત કરતા જે વિચારમાં પડો શું આતે દેવતાઓ છે? કે પાતાલ કુમારો ! અથવા તે શું વિદ્યાધર અને શ્વરનાં દર્શન કરવા આવેલા છે, આ છે કેણ?”
SR No.022678
Book TitleVikram Charitra Yane Kautilya Vijay
Original Sutra AuthorN/A
AuthorShubhshil Gani
PublisherVidyanand Sahitya Prakashak Granthmala
Publication Year
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy