SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૮ મું દુ:ખ દેવા લાગ્યા. કઈ શિખામણની વાત કહેવા જાઉ તે મને મારવાને પણ ચુકતે નહી. એક દિવસે એક મુનિને વંદન કરવા માટે મેં એને શિખામણ આપી, તે એ શકે મને તિરસ્કાર કરીને એવી તે મારી કે એના મારથી હું મરણ પામી. ચોથે ભવે હું મૃગલીના ભાવમાં શુભ ધ્યાનમાં તત્પર પણે મરેલી હોવાથી વિભાવસુ દેવતાની દેવી થઈ. દેવતાએમાં પણ મને પતિ તરફનું સુખ ન મળ્યું, પિતાનો પૂર્વ પત્ની સાથે યાત્રા, વિહાર, આનંદ,મેજ વિગેરે કરી પિતાને દેવ ભવ સફળ કરતે પણ તે દુષ્ટ હૃદયવાળા મારી એકે વાત ન માનતાં ઉલટો મારે તિરસ્કાર કરતે, એવા કલેશમાં દેવભવનું આયુષ્ય પુરૂ કરીને ત્યાંથી પણ વી. ત્રીજે ભવે પદ્મપુર નગરમાં મુકુંદ નામના વિપ્રની મનારમા નામે પુત્રા થઈ. યૌવનવયની થતાં દેવશર્મા નામના બ્રાહ્મણને પરણી હું સાસરે આવી, નિરંતર રાત્રી ભેજન કરનાર કંદમૂળનું ભક્ષણ કરનાર તેમજ સ્નાનાદિક કરીને પુષ્કળ જળને વ્યય કરી પોરા વિગેરેને નાશ કરનારે મારે પતિ અતિ દુષ્ટ આશયવાળો હોવાથી હું તેને શિખામણ આપવા લાગી. છતાં પણ એ દુષ્ટ મારી વાતને નહિ સાંભળતાં પિતાના દુષ્ટ આશયને વળગી રહ્યો ને મારે તિરસ્કાર કરવા લાગે ત્યાં પણ દુર્ગાનથી હું મરણ પામી. બીજે ભવે_આગલા ભવમાં દુર્યાન પણથી હું શુકીને ભવ પામી, મલયાચળ પર્વતમાં એક શુકની સાથે હું રહેવા લાગી. એક દિવસે મારે પ્રસવાનો અવસર હેવાથી શુકને કહ્યું કે કોઈ વૃક્ષ ઉપર માળો બાંધ. પણ આળસુ, ના પીર એવા તેણે મારી વાત સાંભળી નહિ, જેથી મહા. મહેનતે મેં વનમાંથી તૃણ કાષ્ટ લાવીને શમી વૃક્ષ ઉપર
SR No.022678
Book TitleVikram Charitra Yane Kautilya Vijay
Original Sutra AuthorN/A
AuthorShubhshil Gani
PublisherVidyanand Sahitya Prakashak Granthmala
Publication Year
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy