SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૫૪ મું રાજાએ ગંગાસુંદરીને ધીરજથી સમજાવી પિતાના અલ્પ પરિવાર સાથે ક્ષીપ્રાતટે જવા નીકળે. ક્ષીપ્રા( રેવા)ના તીરે જ્યાં માણિભદ્રયક્ષનું મંદિર છે ત્યાં આગળ આવીને રત્નમંજરી છેડા ઉપરથી નીચે ઉતરી. ત્યાં પણ અથીજનોને પુણ્યદાન આપી માણિભદ્ર દેવને નમી, સ્તુતિ કરી, સરિતાને કાંઠે ચિતાની સમીપે જઈ પહોંચી. આ રીતે પોતાને હાથે એક મેટી ભૂલ થઈ એ ભૂલ માટે પિતાનું બલિદાન આપવાને રત્નમંજરી તૈયાર થઈ ગઈ. સતીના ચરિત્રને જાણતા રાજા મંત્રી આદિ પરિવાર સાથે રેવાક્ષીપ્રા)ના તટ ઉપર આવી પહોંચશે. સતી પાસે વધુ જનસમૂહ જોઈ રાજા ખુશી થયે. મહાન તેજસ્વી રાજા વિક્રમને પિતાની સન્મુખ ઉભેલ જોઈ સતી રત્નમંજરીએ આશીર્વાદ આપે. એ બિચારીને ક્યાં ખબર હતી કે બન્ને પતિએને મારી નાખનારી સતીનું ચરિત્ર જાણનાર પથિકના વેષમાં એ નરે પોતે જ હતે. “રાજન્ ! ચિરંજ્ય! ન્યાયથી પૃથ્વીનું પાલન કર! નિરંતર ધર્મને વિશે ઉદ્યમ કર ! જેવી રીતે દિનકર્મથી પૃથ્વી પર ઉપકાર કરે છે તેવી જ રીતે ચિરકાલપર્યત દાનકર્મથી જગતનાં દારિદ્ર દૂર કરવું તેમજ પુત્રપૌત્રના પરિવારવાળો થા!' સતીએ પિતાનું સત્ય પ્રદર્શિત કર્યું. રાજાને આશીર્વાદ આપતી સતી રત્નમંજરીના ચરણમાં તે સમયે રાજરાણુ શૃંગારસુંદરીએ નમસ્કાર ક્ય, “દેવી! તમારા ચરણનું પારાદક મને આપ, જેનાથી સ્નાન કરી હું પવિત્ર થાઉં! પુત્રવતી થાઉં ! ) રાજરાણું ગારસુંદરીની અભિલાષા પૂરી કરી.
SR No.022678
Book TitleVikram Charitra Yane Kautilya Vijay
Original Sutra AuthorN/A
AuthorShubhshil Gani
PublisherVidyanand Sahitya Prakashak Granthmala
Publication Year
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy