SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩૨ મું ૨૧ અહીં આવ્યું. મારે મર્મને નહિ જાણનારા તમારા સુભટ યુદ્ધ કરી નાહક મારી સાથે કલેશ કરવા લાગ્યા. આપ આવ્યા એ ઘણું સારું થયું. હવે આપ આપની નગરી સંભાળે ! » ચંદ્રશેખરની મધુર વાણીથી રાજા મૃગધ્વજે ચંદ્રશેખરને સત્કાર કરી બહુ માન આપ્યું. રાજા મહેન્સવપૂર્વક ચંદ્રશેખર અને મંત્રીઓ વિગેરે સાથે નગરીમાં આવ્યા રાજા અને નવી રાણુ કનકમાલાને જોવાને નગરની નારીઓ અધીરી બની ઘરનાં કામકાજ છોડી, રસ્તા ઉપર ઉભી ઉભી રાજા અને રાણીને જેવા લાગી; કારણકે નવીન સ્ત્રી જેવાની સ્ત્રીઓની આતુરતા ઉત્કંઠા અતિ બળવાન હોય છે. રાજા કતકમાલા સહિત પોતાના મહેલમાં આવ્યા; કનકમાલાને પટ્ટરાણી વિભૂષિત કરી ન્યાયમાગે પ્રજાને પાળવા લાગે. ગાંગિલ બષિએ આપેલા મંત્રને જાપ કરી આરાધવાથી રાણુઓને એક એક પુત્ર થયે, કનકમાલાએ પણ સુંદર સ્વનિ જેવાથી પ્રાતઃકાળે ઉઠીને રાજાને નિવેદન કર્યું, “ હે સ્વામીન ! મારા પિતાના આશ્રમની પાસે રહેલા જીનમંદિરમાં હષભદેવને નમસ્કાર કરતી હતી, ત્યાં મને દેવે કહ્યું કે, હે વર્લ્સ! આ એક ઉત્તમ શુને ગ્રહણ કર, પછી તને હંસ આપીશ, કનમાલાના આ સ્વનિનું ફલ સ્વખપાઠકને પુછી રાજાએ કહ્યું, “પ્રિયે ! તારે પરાક્રમી એવા પુત્રો થશે” કેટલેક કાળે ગર્ભવતી એવી કનકમાલાએ એક પુત્રને જન્મ આપ્યો, શુક-સ્વનિના અનુસારે એ પુત્રનું શુકરજ નામ પાડયું. શુકરાજ ધાત્રીઓથી લાલનપાલન કરાતે પાંચ વર્ષનો થયો. એકદા વસંતઋતુના સમયમાં
SR No.022678
Book TitleVikram Charitra Yane Kautilya Vijay
Original Sutra AuthorN/A
AuthorShubhshil Gani
PublisherVidyanand Sahitya Prakashak Granthmala
Publication Year
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy