SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩૧ મું ૨૬૩ ગ્રહણ કરી તેમજ કર્મને ક્ષય કરીને કેવલજ્ઞાન પામી ગયા. ને તેમને સંવત્સર ચાલ્યા. તેમને મેક્ષ ગયાને ચારપંચોતેર વર્ષ થયાં. ત્યારે વિક્રમરાજાએ વીર સંવત્સરનું પરિવર્તન કરી પિતાને સંવત્સર ચાલુ કર્યો, . પિતાને સંવત્સર પ્રગટાવી રાજા વિક્રમાદિત્યે એક દિવસ પિતાના અમાત્ય ભટ્ટમાત્રને પૂછયું “હે મંત્રી હવે મારે કરવા ગ્ય શું છે તે કહે ? * * “ કૃપાનાથ ! પૂર્વે રામ આદિ પૃથ્વીપતિઓએ ઘણી પૃથ્વી જીતીને કીર્તિસ્તંભ રોપે હત–ઉભો કર્યો હતે. તેમ આપે પણ ઘણું ધનને વ્યય કરવા વડે અહીંયાં અવન્તીમાં એક કીર્તિસ્તંભ તૈયાર કરાવો, મંત્રીનાં વચન સાંભળી રાજા વિક્રમાદિત્યે તરત જ સુત્રધાર (સુથાર)ને બોલાવ્યા, ને એક મેટે કીર્તિસ્તંભ કરવાની સૂચના કરી; રાજાની આજ્ઞાથી સુત્રધારોએ કીર્તિ સ્તંભ તૈયાર કરવા માંડયો. એકદા વિક્રમાદિત્ય મધ્ય નિશાને સમયે ગુપ્તવેષે નગરચર્ચા જેવા નીક. ૨ાજા નગરમાં ફરતા ફરતે કૃષ્ણનામના પંડિત [તિષી] ના મકાન–ઘર આગળ આવ્યું. દેવગે બે સાંઢ [આખલા] લડતા લડતા કૃષ્ણ પંડિતના ઘર આગળ આવ્યા, રાજા અકસ્માત એ આફતમાં સપડાઈ જવાથી એક સ્થંભ ઉપર ચઢીને લટકી રહ્યો. સાંઢ પણ એ સ્થંભ આગળ આવીને યુદ્ધ કરવા લાગ્યા, રાજા મહાસંકટમાં આવી પડશે. એ સાંહેના યુદ્ધથી ચમકીને પંડિત કૃષ્ણ નિદ્રામાંથી જાગૃત થઈ ગયા. ઘરની બહાર આવી આકાશ તરફ મીટ માંડતો બે ગ્રહને એકત્ર જોઈ એકદમ ઘરમાં આવી પત્નીને જગાડી. “ પ્રિયે ! ઉઠ! ઉઠ! દીપક કર ! આપણે રાજા સંકટમાં પડે છે તેનું રક્ષણ કરવા શીધ્ર હું હેમહવન ને બલિ કરીશ,”
SR No.022678
Book TitleVikram Charitra Yane Kautilya Vijay
Original Sutra AuthorN/A
AuthorShubhshil Gani
PublisherVidyanand Sahitya Prakashak Granthmala
Publication Year
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy