SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨૭ મું ૨૨૯ રાજાને જવાબ સાંભળી મંત્રીઓ બેલ્યા, “બાપુ! ગાંડાઈ નહિ તે બીજું શું? રાજબાળાનાં ભાગ્ય !” રાજાએ કનકકુમારીને કહેવડાવ્યું કે, “આ તારે વાર તે ગાં થઈ ગયું છે કે શું? આ બધી નકામી ધામધૂમતેફાન શું કરવા કરે છે ? ” રાજાના જવાબમાં પુત્રીએ કહેવડાવ્યું, કે ““મારા પતિ જે કરતા હશે તે વિચાર કરીને જ કરતા હશે. ” | મધ્યાહ્ન સમયે પિતાના અધ રાજ્યના રાજાએ પિતપોતાના પરિવાર સાથે કનકપુર–કાવટીના ઉદ્યાનમાં આવ્યા ને બધી કંકાવટી ખળભળી ગઈરાજા અને મંત્રીઓ ફાટી આંખે જોઈ રહ્યા. “આ તે શું? શું બધા સંપ કરીને કંકાવટી ભાગવા આવ્યા છે કે જમાઈની ગાંડા દૂર કરવા ? જમાઈનું તે ગમે તે થાય, પણ કદાચ મારી પુત્રીને ઉપાડી જો તે મારી આબરૂ શી?” અનેક વિચારનાં મોજ રાજાના મગજમાં અથડાતાં હતાં. રાજા કંઈક નિશ્ચય ઉપર આવતું હતું, તે દરમિયાન બહાર ઉદ્યાનમાં રાજમહેલની ચિત્રશાળામાં આવીને સિંહાસને બેઠેલા વૈદ્યરાજની આગળ ભેટાણું ધરીને બધા રાજાઓ નમ્યા, ને વૈદ્યરાજની આજ્ઞા શિરોમાન્ય કરી. વૈદ્યરાજે પણ તેમને પાન બળ તેમજ વસ્ત્ર-શેલાં, પાઘડી, તલવાર વિગેરે ભેટ આપી તેમને સન્માન્યા. આ બધું જોઈ રાજા અજાયબ થયો, “ હે ! આવા બળવાન શત્રુઓએ વૈદ્યની આજ્ઞા માન્ય કરી શું ! અથવા તે એ બધું શક્ય છે? નીચ પણ ઉચ્ચ પદ પ્રાપ્ત કરીને જગતમાં શું નથી પૂજાતો? આ બધોય મારી કન્યાના પુણ્ય પ્રતાપ ! રાજસુતાને પરણેલા હોવાથી આ નીચ બધાને આડંબરથી આંજી નાખે છે.” વૈદ્યરાજની રાજાએલા વિકાસની ચિતા તે દરમિયાન
SR No.022678
Book TitleVikram Charitra Yane Kautilya Vijay
Original Sutra AuthorN/A
AuthorShubhshil Gani
PublisherVidyanand Sahitya Prakashak Granthmala
Publication Year
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy