SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨૫ મું શ૧ મેળવવું. પાણીના પરપોટાની માફક આ ક્ષણિક આયુ થી પરોપકાર કરે. એજ નરભવની સાર્થકતા છે.” સૂરીશ્વર પાસેથી ઘમ સાંભળીને વિક્રમચરિત્ર પોતાના મિત્ર સાથે નગરમાં આવ્યું. ધમની વાસનાથી રંગાયેલ રાજકુમાર જીનપૂજનમાં તેમજ દીન, અનાથ, તેમજ ભાટ ચારણેમાં અનેક પ્રકારે લક્ષ્મીને વ્યય કરવા લાગે. દિનપ્રતિદિન રાજકુમારના સંખ્યાતિત ખર્ચથી રાજપુરૂ વાસ પામી ગયા. તેમણે રાજા આગળ રાજકુમારના વિશાળ ખર્ચની હકીકત જાહેર કરી. રાજાએ રાજભંડારીઓને સમજાવી શાંત કર્યા, અન્યદા અવસર મેળવી રાજાએ પોતાના પુત્રને પતાની સાથે જમવા બેસાડી આડીઅવળી વાતો કરતાં કહ્યું, “રાજકુમાર ! મારી આજ્ઞાથી તારે રેજ પાંચ સુવર્ણ મહેર પોતાના ખર્ચ માટે વાપરવી કે જેથી આપણે રાજભંડાર પણ જળવાય ને આપણું પણ કામ થાય ! ” વિક્રમાદિત્યની આવી વાણુ સાંભળી રાજકુમાર વિચારમાં પડયે “ધર્મકાર્ય વિગેરેમાં થતા મારે ખર્ચ પિતાજીને ગમતું નથી. અરે! પરદેશમાં જઈ પિતાનું ભાગ્ય અજમાવવું શું ખોટું ?” આમણ દૂમણ થયેલા રાજકુમારે જેમ તેમ એ સુંદર ભેજન પૂર્ણ કર્યું. દેવને પણ દુર્લભ એવું ભજન રાજકુમારને અત્યારે વિષ સરખું થયું; કેમકે ચિંતા ઉત્પન્ન થતાં જ પુરૂષને સુખ ક્યાંથી હોય વારૂ? - ભેજનથી પરવારી રાજકુમાર પોતાના મિત્ર સોમદંત પાસે આવ્યો; ખાનગીમાં તેને પોતાની વાત કહી સંભળાવી. મિત્ર પણ એની સાથે જવાને તૈયાર થયે. તેજ રાત્રીએ કેનેય કહ્યા વગર અને મિત્રે ગુપચુપ નગર છેડીને ક્યાંક ચાલ્યા ગયા, શહેર અને ગામડાં,
SR No.022678
Book TitleVikram Charitra Yane Kautilya Vijay
Original Sutra AuthorN/A
AuthorShubhshil Gani
PublisherVidyanand Sahitya Prakashak Granthmala
Publication Year
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy