SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ સત્ત્વ ઉપર જીમૂતવાહનની કથા. અને અપરાધી કર–પાશમાં તેને પકડી લીધી. એવામાં દાસીએ આવીને તેણીને નિવેદન કર્યું કે – હે દેવી! સદ્ભાગ્યે તને વધામણી છે કે તારે મહોત્સવ શરૂ થયો. પિતાના આદેશથી તારા ભ્રાતાએ આજે વિદ્યાધરેંદ્ર જીમૂતકેતુના પુત્ર જીમૂતવાહન સાથે તારે સંબંધ જોડ્યો છે. માટે ચાલ, તારા પિતાએ વિવાહ માંડ્યો છે.” એમ સાંભળતાં સુંદર હાસ્ય કરતી તે કમળાક્ષી તરત ચાલી ગઈ. તેવામાં જીમૂતવાહન પણ તરત પિતા પાસે આવ્યું અને ઘણું મહોત્સવમાં આનંદ પામતા વિદ્યાધર કુમારે, પર્વ એ જીમૂતવાહન પ્રિયતમાને પરણને ભેગમાં તત્પર થયે! એવામાં એકદા પિતાના સાળા તથા મિત્ર વસુ સાથે વન જોવા જતાં સમુદ્રની વેળમાં જીમૂતવાહને શિખર સમાન એક હાડકાને ઢગલે દીઠે. ત્યારે “આ શું” એમ તેણે વમુ મિને પૂછતાં તેણે કહ્યું કે અહીં ગરૂડે સર્પોનું ભક્ષણ કરેલ છે. સર્વ ક્ષયના ભયથી વાસુકિ નાગે ગરૂડને વિનંતી કરી, જેથી સદા વારા પ્રમાણે આવતા નાગને તે મારી ખાય છે. પર્વતના ફૂટ સમાન એ તેમના હાડકાને ઢગ છે. એમ કહેતાં, પિતાએ લાવવાથી તેને વસુ મિત્ર તત ચાલ્યા ગયે. એટલે જીમૂતવાહન પણ અધામાં કરૂણ લાવતાં અને બુદ્ધિથી સંસારને અસાર સમજતાં તે ચાલ્ય, તેવામાં કરૂણ આકંદથી હઠ અને મુખને શુષ્ક બનાવતી, વારંવાર શેકથી વિલાપ કરતી અને યુવતિસહિત એક વૃદ્ધ સ્ત્રી તેને જોવામાં આવી અને જાણે સાકાર આનંદ હાય, જાણે જંગમ સંતોષ હોય, સ્કુરાયમાન ફણાપંજથી આકાશને પીત અનાવનાર, રક્ત વસ્ત્ર પહેરેલ અને ચંદને ચચિત તથા વૃદ્ધા જેને થઈને શેક કરી રહી છે એવા નાગકુમારને તેણે જોયે. ત્યાં વૃદ્ધા વારંવાર શેકથી બેલતી કે-હા ! નયનાનંદ પુત્ર ! હાર -- .
SR No.022672
Book TitleChandraprabhu Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha
PublisherJain Atmanand Sabha
Publication Year1930
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy