SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ અજાપુત્રની કથા. ૩૭ કે - જો પૂ પુણ્યથી રાજ્ય તે મને દેવતાએ આપેલ છે, તાપણ હે મહાઅમાત્ય ! તારી બુદ્ધિથીજ તે મને મળશે. પરના ઘાતી પાસે છતાં અન્ય કોઇ તેને પરાભવ ન કરે. લોકો ષ્ટિદોષના ભયથી જુએ, લેાહ પાસે રાખે છે. વળી તેણે મંત્રીને કાનમાં એક વાત કહી કે—આ એક લાખ જે પુરૂષો છે, તે અશ્વ—ગજના મે માણસ મનાવ્યા છે. એમ ખાત્રીથી સમજી લ્યે. ’ ત્યાં મંત્રીએ આશ્ચયથી કહ્યું આ તા મોટું અશ્રદ્વેચ વચન લાગે છે કે તિય ંચા મનુષ્ય થાય અને પાછા તિય ચ બને. તેથી મને એમ લાગે છે કે તારા લાખ સૈનિકો ગૂઢ હશે, તે વિના રાજાના વધ ન થાય અને તેનુ રાજ્ય મળે નહિ. અથવા તે એ પણ માની શકાય તેમ છે કે તે દેવી અનુકૂળ રહી, મા સુગમ કરતાં તને મોટું રાજ્ય આપશે. ’ એમ પરસ્પર વાત કરી, તે અને વેગથી તે નગરી પાસે પહોંચ્યા અને તે પુરૂષોને અલગ અલગ કરી, સાથે લઇને સાંજે નગરીમાં પેઠા. ત્યાં મત્રીએ છાની રીતે પોતાના સંબંધીઓના ઘરે જઇ, પૂર્વ રાજાથી કંટાળેલા રાજલોકાને તરત તાબે કર્યાં. તેવામાં મડલેશ્વરોએ પરના પરાભવથી રક્ષા પામવા રાજા સહિત સનાથ સૈન્યને આદેશ કર્યાં અને તે નગર થકી બહાર નીકળ્યું. એવા અવસરે મંત્રીએ અજાપુત્રને વિનંતી કરી કે‘ આ બધા પુરૂષોને પોતપેાતાનું સ્વરૂપ પમાડા. ’ એટલે તેણે તે પ્રમાણે કરતાં, પેાતાના વર્ગના લોકોને તેમનાપર ચડાવી, અજાપુત્રને આગળ કરીને સુબુદ્ધિ પ્રધાન ચાલ્યા. માર્ગમાં કૃતાંતની જેમ નિર્દય અની લેાકેાને મારતાં, રાજદ્વારે અંગરક્ષકોને મારીને તેણે પ્રવેશ કર્યો. ત્યાં રાજદ્વાર અને પ્રતાલીપર પોતાના પુરૂષોને મૂકી અજાપુત્રસહિત મંત્રી પ્રાસાદપર તરત ચડી ગયો. તે વખતે ચંદ્રાપીડની બધા રાજલેાકાએ ઉપેક્ષા કરી હતી, છતાં ધૈર્ય થી તરવાર લઇને તે સામે દોડયા, અને મેાતાને વિજયી માન :
SR No.022672
Book TitleChandraprabhu Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha
PublisherJain Atmanand Sabha
Publication Year1930
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy