SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ અજાપુત્રની કથા. | ' ? થીના રૂપે મેં તમારું હરણ કર્યું હતું. તારી અનુરાગિરાણું છતાં તને હરવાને અસમર્થ મેં તારા ભ્રાતાનું હરણ કર્યું અને તેનાં દુઃખના કારણે મેં તારું હરણ કર્યું. એ મારે અપરાધ ખ્યાલમાં ને લાવતાં ફરી મને યાદ કરજે. હું વ્યંતરના કુળમાંની સવૉગસુંદરી નામે દેવી છું.” એમ અતિસ્નેહથી બેલતાં સર્વાંગસુંદરીએ તે બનેની સાથે રાજાને પેલા સરોવરના કાંઠે મૂકે. એટલે અકસ્માત મિત્ર સહિત રાજાને આવેલ જેઈ સૈનિકે બધા આનંદથી હિતાશિષ આપતા દોડી આવ્યા. પછી પ્રણામ કરતા તેમને અમૃત તુલ્ય વચન નથી આદર આપી, રાજા તાપની જેમ તેમના આવાસમાં ગયે ત્યાં વિશ્રાંત થયેલ રાજાને તેમણે કહ્યું કે હે દેવ! તમારા વિના અમે અહીં અરણ્યમાંજ રહેવાનું ઉચિત ધાયું. નગરીના લેકેને અમે મુખશું બતાવીએ?”એવામાં રાજાને આવેલ જાણું, નગરજનેસહિત સુમતિ સચિવ રાજાની સન્મુખ આવ્યું અને સાષ્ટાંગ નમ સ્કાર કરતા અત્મવલ્લભ પ્રધાન, ક્ષત્રિયે તથા નગરજનેને રાજાએ યાચિત માન આપ્યું. પછી પાંચ પ્રકારનાં વાદ્યો વાગતાં, વિપ્રવૃત દેએ ઉંચે જયધ્વનિને ઉચ્ચાર કરતાં, પૌરાંગનાઓએ આશીર્વાદ આપતાં, અંગરક્ષકે એ વસ્ત્રાંચલથી પવન નાખતાં અને સમહત્સવ નગરીને જોતાં રાજા પિતાના મહેલમાં આવ્યું. પછી મહોત્સવપૂર્વક કૌતુક-મંગલ કરવામાં આવતાં રાજા પ્રથમની જેમ અખંડિત રાજ્ય ચાલાવવા લાગ્યું. તેમજ મકરનર સહિત અજાપુત્ર ત્યાં અત્મવત રાજાના સન્માનપૂર્વક કેટલાક દિવસ રહ્યો. એકદા જ ગલમાં એકલા મૂકેલ તે શાખામૃગનરને સંભારી તેણે રાજાને કહ્યું કે—મારે હવે જવાનું છે. એટલે રાજાને પ્રાણ આપવાથી તે પ્રાણ કરતાં પણ વધ્રુભ છે, તેનું એ વચન સાંભળતાં રાજાએ કંઈ જવાબ ન આપે. ત્યારે ફરી બહુજ સભ્યતાથી અજા પુત્રે રાજાને જણાવ્યું કે–“હું આટલે વખત અહીં રહ્યો, માટે હવે મને વિદાય કરે.”
SR No.022672
Book TitleChandraprabhu Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha
PublisherJain Atmanand Sabha
Publication Year1930
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy