SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર. પ્રાણીઓ મત્સ્યલેકમાં સદા પાપ કરતાં, અહીં આવીને તેઓ ભેગવે છે. પૂર્વભવના કર્મ યાદ કરાવી કરાવીને જે! જીવહિંસા કરનારતીર્ણ શસ્ત્રોવડે છેદય છે, આ અસત્ય બોલનારને ગરમ સીસું પાય છે, આ પરધન ચેરનારને શૂળીપર ચઢાવે છે, આ પરસ્ત્રીલંપટને અગ્નિએ તપેલ લાંબાની પુતળી સાથે રેતા જીવને બલાત્કારે આલિંગન કરાવે છે, અતિલોભ તથા પરિગ્રહમાં પડેલ આ નારકને ભારે પાપને લીધે કરઘાલવતી વિદારે છે. દેવદ્રવ્યનું ભક્ષણ, ઉપેક્ષા કે નાશ કરનાર દીનને અનેક પ્રકારની નરક વ્યથા પમાડે છે, આ વિદનસતેષી કે પરને સંતાપ આપનારને કુંભીપાકમાં પકાવે છે, તથા પરમર્મ બેલનારને વારંવાર ભેદે છે, મિથ્યાવાદીના મુખમાં ખીલા મારે છે, પરકાર્યના ભંજકને કાપ્યા છતાં તે મળી જાય છે, દુર્વાકય બેલનારને તૃષાર્ત થતાં શેણિત પાય છે, એમ પરમાધામી દેવે તેમના કર્મ પ્રમાણે વેદના પમાડે છે. તેમજ પરસ્પર શસ્ત્ર લઈને તેઓ શત્રુની જેમ લડે છે અને પ્રચંડ પાપી તે શાભલીવૃક્ષના કાંટામાં પોતે સુવે છે. ઈત્યાદિ નારકની દુસહ યાતના જોતાં, હૃદયમાં ભારે કંપારી આવતાં અજાપુત્ર મૂછ પામ્યું. એટલે જળા વાયુથી વ્યંતરેશે તેને સ્વસ્થ કર્યો, છતાં ભયથી કંપતાં તે ચિત્તમાં ચિંતવવા લાગ્યું કે“અહો ! આ સંસાર તે ત્યાજય છે કે જેમાં ઉત્પન્ન થતા પ્રાgીઓ એવા પાપ કરે છે કે જેથી આવા દુઃખનું ભાજન બને છે.” ઈત્યાદિ શેકથી કંપતાં, પિતાના સ્થાને જવાની ઈચ્છા થવાથી તેણે વ્યંતરને કહ્યું કે—મને હવે સત્વર સરોવરના કાંઠે લઈ જાઓ.” એટલે વ્યંતરેંદ્ર રૂપ પરાવર્તન કરવાની પ્રસાદગુટિકા આપી, તેને સરોવરના તીરે લઈ ગયા. પછી ક્ષણવારમાં પોતાને તે સરેવરના કાંઠે આવેલ જોઈ–“હવે જઈને તે રાજાને જેઉં” એમ હર્ષ જામતે અજાપુત્ર આગળ ચાલ્ય, અને જેટલામાં તે સરેવરની માને ચડયો, તેટલામાં કેટલાક પુરૂષે “સ્વાગત, સ્વાગત” કહેતા
SR No.022672
Book TitleChandraprabhu Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha
PublisherJain Atmanand Sabha
Publication Year1930
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy