SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ અદત્તાદાન વિરમણ વ્રત ઉપર દાનપ્રિયની કથા. ૩૪૯ 6 બાળક હતા, તે એકદા શ્રીમતાના બાળક સાથે કયાં રમવા લાગ્યા, તેવામાં રમતા કોઈ ધનિકપુત્રના હાથમાંથી મુદ્રિકારત્ન ધૂળમાં પડી ગયું, જે કાઈના લક્ષ્યમાં ન હતું. તે બાળક રમીને પેાતાના ઘેર જતાં, પાછળ દાનપ્રિય તે રત્ન જોઇ વિચારવા લાગ્યા કે આ રત્ન અમુક બાળકનું હાવુ જોઇએ, ' એમ પરાયું ધારી તે લેવા ન ઇચ્છતાં તેણે પોતે તે બાળકના માતપિતાને લાવી આપ્યું, જ્યારે તે શ્રીમાન્ વિચારવા લાગ્યા કે— અહા ! આ બાળકની નિઃસ્પૃહતા કેટલી ? કે આ રત્ન તેણે લીધું નહિ. માટે એને મારે વાણાતર બનાવવા.’ એમ ધારી શેઠે તેને આદેશ કર્યાં અને પિતાએ અનુજ્ઞા આપતાં, તે દાનપ્રિય શેઠના પરમ મિત્ર અને સ્નેહપાત્ર બન્યા. પછી શેઠે પેાતાના પુત્ર પંડિતને સોંપતાં, તે જડબુદ્ધિ હાવાથી મહાકષ્ટ ભણતા, પણ દાનપ્રિયને જે કાંઈ પંડિત ભણાવતા, તે બધું અસહિત પેાતાના નામ પ્રમાણે ધારી લેતા. વળી તે શેઠ તેને જે કાંઈ ધન આપતા, તે પેાતે દાનપ્રિય હાવાથી ગરીએને આપી દેતા. તેવામાં પાસેની કાઇ વ્યંતરીએ વિચાર કર્યાં કે— દાનપ્રિય બાળક છતાં કેટલેાખધા નિઃસ્પૃહ છે ? માટે એની હું પરીક્ષા કરૂં. ” પછી તે પુરૂષ થઇ, દાનપ્રિય બહાર નીકળતાં, આગળ આવીને કહેવા લાગી કે— તારા પિતા મારા કરજદાર છે. તેના ઋણથી તું મારા દેવાદાર છે, તે તે દ્રવ્ય તુ હવે મને આપ.’ એમ કહી તેને પકડીને તે વ્યંતરી કાઇ પ`તમાં લઇ ગઇ. ત્યાં તે કહેવા લાગી કે— મારૂં દ્રવ્ય સત્વર આપી દે. ’ તે એલ્યા—હમણાં ધન મારી પાસે નથી, તે તને કયાંથી આપુ? વ્યંતરી ખાલી... નગરમાં તારૂં ધન હાય, તે ચાલ, ત્યાં આવીને મને દ્રવ્ય આપ. નહિ તેા તને હું મૂકનાર નથી. ’ દાનપ્રિયે કહ્યું મારી પાસે અહીં પણ ધન નથી અને નગરમાં પણ નથી, તા કયાંથી તને આપું ? માટે તને ગમે તેમ કર. ’ ત્યારે વ્યતરી, r '
SR No.022672
Book TitleChandraprabhu Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha
PublisherJain Atmanand Sabha
Publication Year1930
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy