SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવના વિનાના વરૂણની કથા. ૩૩૧ ' સ્વસ મંત્રીને સંભળાવતાં, મંત્રીએ રાજાને જઈને કહ્યું, એટલે રાજાએ હર્ષોંથી તે માની લીધું. પછી સ ંતુષ્ટ થયેલ રાજાએ મત્રીને લાખ સાનૈયા આપ્યા, તે લઇ આવતાં મંત્રીને વિચાર આવ્યું કે—‹ અરધું ધન તે મેં યક્ષને દેવુ કરેલ છે, પણ તે આપવા જાઉં, તે કુટંખમાં શું વપરાય ? માટે ઋણ ન આપતાં એ કુટુ ંબમાંજ વાપરૂ. યક્ષ એ સુવર્ણને શું કરશે ? મારે તે ખાસ તેનુ પ્રત્યેાજન છે. ચક્ષ કાપશે, તે પણ શું કરવાના છે ? હવે મારે એનાથી કાંઇ કામ નથી ! એમ ધારી, મત્રી પાતાના ઘરે આવ્યા અને સ્વેચ્છાએ સાંસારિક સુખમાં તે ધન વાપરવા લાગ્યા. એવામાં ફરી દીવાળી આવતાં રાજા પ્રથમ પ્રમાણે દેવી આગળ સુતા અને સ્વસ જોતાં તે ત્યાંજ પૂર્વવત્ ભૂલી ગયા. ત્યારે વિશ્વાસ બેસવાથી રાજાએ તે મંત્રીને પૂછતાં, તેણે કહ્યું કે ખરાખર જાણ્યા પછી સ્વમ હું કહી સંભળાવીશ. ’એમ રાજાને કહી, ઘરે જઈ, મંત્રી ચિતવવા લાગ્યા કે— હવે તે યક્ષને મારે કેમ પૂછ્યું કે પૂર્વે મે તેને અરધું ધન આપેલ નથી ?' તેમ છતાં તે મનમાં કાંઈક નિશ્ચય કરી, દુધ, ઇક્ષુરસ, પુષ્પાદિ પૂજા–સામગ્રી લઇને મંત્રી યક્ષના મદિરે ગયા. ત્યાં પ્રથમ જળથી મૂત્તિ ધાઈ, પછી દુધથી તેણે ન્યુવરાવી, ચંદનના લેપ કરી, શ્રેષ્ઠ કુસુમેાવડે પૂજી, તથા અગરૂ ધૂપ ઉખેવતાં તે કામળ વચનથી એલ્ચા કે— હું યક્ષેશ ! સ્વામિન્ ! મારા દુસ્સહ અપરાધ તમે ક્ષમા કરો. હું સુવર્ણ લઇ, ઘરે જઇ મૂકતાં, તમને આપવાના વિચાર કરતા હતા, તેવામાં તે તે પુત્રાએ વેચીને વાપરી નાખ્યુ. તા એ બદલ તમે કાપ ન લાવશે. મારા તમે સ્વામી છે. મારાથી અપરાધ થાય, તે પણ તમારે સથા તે સહન કરવાના છે. હવે જે માનતા કરીશ, તે અન્યથા ન જ થાય. માટે રાજાએ મને પૂછેલ સ્વગ્ન કહી સંભળાવા. ' એમ મંત્રીના વચનથી પ્રસન્ન થયેલ યક્ષે સ્વમ તેને સંભળાવતાં, તેણે :
SR No.022672
Book TitleChandraprabhu Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha
PublisherJain Atmanand Sabha
Publication Year1930
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy