SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૨ શ્રી ચંદ્રપ્રભસ્વામી—ચરિત્ર. ? આવતા જોચા એટલે તેને વૃદ્ધ સમજી કુમારે જુહાર કર્યા તથા કુમાર તેની પાસે રાજ બુદ્ધિ વધે તેવા ઉપદેશ સાંભળતા. એમ માગે સંગાથે આવતાં પ્રીતિ વધવા લાગી અને અનુક્રમે પિતા-પુત્ર જેવા તેમના સ્નેહ થયા. પછી લક્ષ્મીવાસ નગર નજીક નજીક આવતાં વૃદ્ધે કહ્યુ` કે—‘ હું અહીં નજીકના ગામમાં રહું છું.’ એમ કહી અલગ પડતા વૃદ્ધને કુમારે પૂછ્યું કે— હું તાત ! સ ઇલાજમાં કામ આવે,તેવી મને બુદ્ધિ બતાવો.’ વૃદ્ધ એલ્યા—‘હે વત્સ ! સાંભળ–તને શું અકથ્ય છે ? નગરમાં પ્રવેશ કરતાં પેાતાના ઘરના સમાચાર ન પૂછવા, પાછળ કરીયાણાં મૂકીને નગરમાં ન પેસવું અને સ્ત્રીના વિશ્વાસ ન કરવા. એ ત્રણ શિખામણ તુ પાળજે અને જરૂર પડે, તા મારી પાસે આવજે.’ એમ કહીને વૃદ્ધ પોતાના ગામે ગયા અને કુમારે પણ પેાતાના નગરમાં આવતાં બહાર એક પરિચિત પુરૂષને જોતા પૂછ્યું કે—′ મારા કુટુમમાં બધા કુશળ છે ? ’ એમ વૃદ્ધુવાકય ભૂલી જઈને તેણે પૂછતાં પેલા પુરૂષે જણાવ્યું કે— તારી માતા મરણ પામી.' આથી તેને બહુ દુઃખ થયું. પછી પોતાના કરીયાણાં પાછળ તજી તે ઉતાવળે પેાતાના ઘેર આવ્યે, પણ તે વખતે અ રાત્રને સમય હાવાથી સ્વજના બધા સુતેલા હતા, જેથી 'ચે અવાજે તેણે ખેલાવતાં પણ કાઇ જાગ્યું નહિ. ત્યારે અત્ય’ત - ઉત્સુકતાને લીધે બહારની ભીંતપર ચઢતાં તેને ચાકીદારે જોચે અને ચાર સમજીને તેને ભાલા માર્યા, જેથી કુમાર જમીનપર પડચેા. તેવામાં ઘરના લેાકેા જાગી ઉઠયા. એટલે કુટુ એ તપાસ કરતાં તેને ઓળખીને આંસુ પાડયાં. કુમારે પણ પ્રહારવટે જરિત છતાં પૂછ્યું કે—માતાને કેવા રોગ હતા ? ’ ત્યારે કુટએ સંભ્રાત થઇ કહ્યુ— એ શું કહેા છે ? માતા તા ઘરમાં સુતી છે. તેને રાગ કર્દિ થયા પણ નથી.' કુમાર બાલ્યા— મને કોઈએ એમ કહ્યું કે—તારી માતા મરણુ પામી.' સ્વજને કહ્યું— "
SR No.022672
Book TitleChandraprabhu Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha
PublisherJain Atmanand Sabha
Publication Year1930
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy