SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ શ્રીચંદ્રપ્રભ સ્વામી–ચરિત્ર. રીત સ્થિતિ સમીક સુરાસુરની સર અને પ્રમે ડાવાળાને સંકલ્પ હમણું સારે છે. તેથી તમે બંનેની મેં વિપરીત સરભરા સાચવી.” એમ વૃદ્ધાનાં વચન સાંભળી અને પોતાના મનની તેવી સ્થિતિ સમજી, માલ લઈને તેઓ સત્વર આગળ ચાલ્યા. આગળ જતાં તેમણે સુરાસુરની સભામાં ધર્મ—દેશના આપતા એક કેવળીને જોયા. એટલે કૌતુકથી તે બંને પ્રમેદથી તેમને નમસ્કાર કરી દાનસંબંધી દેશના સાંભળવા બેઠા. અવસરે ધનદે પૂછ્યું કે–“હે ભગવાન! મને લાભ થશે કે નહિ ?” જ્ઞાનીએ કહ્યું “તમને ધર્મને લાભ નહિ, પણ અર્થને લાભ થશે.” એમ સાંભળતાં તે બંને પિતાના ગામ ભણી ચાલ્યા અને અનુક્રમે તેઓ સ્વસ્થાને પહોંચ્યા. હવે સાધુસહિત કેટલાક આચાર્યો તે ગામની નજીકના ઉદ્યાનમાં શુદ્ધ ભૂમિકાએ પધાર્યા. દેવગે કાર્યોત્સર્ગમાં રહી, તપ આચરતા તેમાંના કેઈ સાધુને કઈ દુટે શરીરે માટે ઘા કર્યો, છતાં દેહમાં નિઃસ્પૃહ સાધુ તેની પીડા હેવા લાગ્યા. ત્યાં અનુકેમે તે ઘા પ્રસરતાં પાકીને સડવા લાગ્યું. તેવામાં કઈ વૈદ્ય શ્રાવકે તે સાધુને જોયા અને “અહો ! સાધુને મહાકષ્ટ છે” એમ ધારી તે બહુ ખેદ પામ્યું. પછી તેણે આચાર્યને નિવેદન કર્યું કે–“હે. પ્રભે હું શ્રાવક વૈદ્ય છું, પણ દરિદ્ર હેવાથી, મારા ઘરે ધૃતઔષધ નથી. અહીં તે અત્યારે દુપ્રાપ્ય છે, તે ધનદના ઘરે છે, માટે તમે માગી લાવે, તે હું ધૃત–મિશ્ર ઔષધે તપસ્વીની ચિકિત્સા કરૂં. કારણ કે શરીરનું રક્ષણ કરતાં તપે વૃદ્ધિ થાય છે. વળી સાધુની ચિકિત્સા કરવાથી મને પણ અભીષ્ટ લાભ થાય.” એમ તેણે કહેતાં, આચાર્યો બે મુનિ મેકલ્યા. તેમણે ધનદ પાસે જઈ ગ્લાન મુનિને વૃત્તાંત જણાવી, ઔષધ માટે ધૂત માગ્યું પણ કૃપણુતા, નિર્દી ક્ષણ્ય તથા દાનથી વિમુખ હોવાથી તેણે મુનિને જણાવ્યું કે –“ધૃત નથી, માટે ચાલ્યા જાઓ.” લાન માણસ પ્રત્યે
SR No.022672
Book TitleChandraprabhu Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha
PublisherJain Atmanand Sabha
Publication Year1930
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy