SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવદાન ઉપર વણીક સુતની કથા. ૨૯૯ કરવા જાય છે. ’ ત્યારે મંત્રી બાલ્યેા હૈ સ્વામિન્ ! પુરૂષ એ સાર્યાંથી જેવુ' દુઃખ પામે છે, તેવુ' બીજું એકે દુ:ખ નથી. હુ એ ભાર્યાથી સદા ભારે દુઃખી છું. નરના દુઃખ કરતાં પણ એ પત્નીવાળાને અધિક દુઃખ હોય છે.’ એમ કહીને તેણે રાજાને સમજાવ્યા. " હવે તે ચાર ચિંતવવા લાગ્યા કે— અહા ! મુનિદાનનું માહાત્મ્ય ! બધા ચાર માર્યા જતાં એક હું તેમાંથી છુટયા. પાછળથી રાજાએ કાપાયમાન થઇ મારવાના હુકમ કરતાં પણ અમાત્યે મને પેાતાની બે કન્યા પરણાવી. હવે જો હુ' રાજાજ્ઞાના ભંગ કરી, ચારી કરવા જઈશ, તેા પ્રધાન મારાપર કાપ કરી, મને અવશ્ય મારશે. માટે હવે માતાપિતા પાસે જઈને તેમની ભક્તિ કરૂ ' એમ ધારી અને સ્રીસહિત તે પેાતાને ઘેર ગયા. ત્યાં માતપિતાને તેણે પાતાને વૃત્તાંત સંભળાવતાં, તેમણે પ્રધાનને પૂછીને ઘેર આણ્યે.. પછી પ્રેમાળ સ્ત્રી સાથે સુખ ભાગવતાં, વટવૃક્ષની જેમ બહુ પુત્ર-પૌત્રાથી વિસ્તાર પામ્યા. વળી દાનના પ્રભાવને નિત્ય હૃદયમાં સંભારતા તે સૂર્યોદયથી સૂર્યાસ્તસુધી નિરંતર સુપાત્રે દાન આપતા. એવામાં એકદા ત્યાં આચા આવ્યા, તેમની પાસે ભાસહિત તેણે સંયમ લઇ, દુસ્સહ તપ તપી, સર્વ પાપની આલેાયણા લેતાં અને પંચપરમેષ્ઠીનુ ધ્યાન ધરતાં, મરણ પામીને તે દેવલાકે ગયા. એ પ્રમાણે ભાવદાનપર વણિકસુતના વૃત્તાંત સાંભળી, હું ભળ્યે ! આ લેાક અને પરલોકમાં સુખકારક સદા ભાવથી દાન આપે.” એમ દાન-ધર્મ ને પ્રકાશનાર મુનિની વાણી સાંભળતાં બધા વિદ્યાધરા આકાશમાર્ગે પાતપેાતાના સ્થાને ગયા. ત્યારે શ્રદ્ધાયુક્ત કામકેતુએ પ્રિયા સાથે દેશવિરતિ સ્વીકારતાં, પેાતાના નગર પ્રત્યે જવાની ઇચ્છા કરી. એટલે કાઈ વિદ્યાધરે ભાતુ આપી, તેણે પોતે તે બંનેને તેના નગરના માર્ગે લાવી મૂકયા. ત્યાંથી તે આગળ
SR No.022672
Book TitleChandraprabhu Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha
PublisherJain Atmanand Sabha
Publication Year1930
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy