SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર. જે ઓચ્છવમાં શેક અને શેમાં આનંદ બતાવે છે-બધું કર્મ જ કરે છે. પછી નવોઢા કાંચનપ્રભાની તેના માતાપિતાએ ઘણી શેધ કરાવી, તે પણ તેને ક્યાં પત્તો ન મળે. એટલે કામકેતુએ પોતે તેને શેધવાને વિચાર કરતાં, પોતાની પૂર્વભાર્યા ચંદ્રકાંતા પાસે ભાતું કરાવ્યું. ત્યારે તે વિચારવા લાગી કે રાજા કાંચનપ્રભાને લઈ આવશે. માટે એવું કરૂં કે એ તેને લાવે નહિ અને એ પોતે પણ આવે નહિ” એમ ધારી, ચંદ્રકાંતાએ ભાતું બનાવી, તે સાત ગાંઠમાં બાંધીને રાજાને આપ્યું. જે લઈ તે ચાલતે થયે. જે દિશાએ તે ગરૂડ ઉડે હતા, તે દિશા ભણું ચાલતાં, અર્ધમાગે રાજાને એક મેટ સંઘ મળે. તેની સાથે જતાં એક સરેવર આવ્યું, ત્યાં સાર્થકે આદરથી પિતપતાનું ભાતું ખાવા લાગ્યા. એટલે કામકેતુએ પ્રથમ ગાંઠ છે ભાતું ખાતાં, તેના પ્રભાવથી તે ત્રણ ફણાવાળે ભયંકર સર્પ બની ગયે, તેને કુંફાડા મારતે જોઈ, ભય પામતા બધા લોકો નાસવા લાગ્યા. પછી આઘે જઈને તે લોકેએ તેને પત્થર મારતાં, તે પ્રહારથી ખૂબ દુઃખી થતે તે સર્પ અન્યત્ર જવાને અશકત થયે. ત્યારે તે ભાતાની ગાંસી નીચે ભરાઈ બેઠે. ત્યાં એક પુરૂષે પત્થર મારતાં બીજી ગાંઠ કુટી અને તેમાંનું ભાતું વેરાતાં, દૈવયેગે તેમાનું ભાતું કંઈક સર્ષના મુખમાં પડયું, તેના પ્રભાવથી તે પાછા મૂળ સ્વરૂપધારી કામકેતુ બન્યું. ત્યારે તે ચિંતવવા લાગે કે–અહે ! મારી ચંદ્રકાંતા રાણની શકિત કેટલી કે ઈર્ષ્યાથી મને મારવાને તેણે ઉપાય કર્યો. પક્ષ અને વિપક્ષ–ભાવે અલગ અલગ ગાંઠમાં ભાતું બાંધીને મને દીધું છે. તેમાં રૂપ-પરાવર્ત કરવાનું ઔષધ અવશ્ય છે” એમ આશ્ચર્ય પામતા કામકેતુને ભય પામતા સાર્થજનેએ પૂછ્યું કે–આ શું થયું?” તે તેમને આશ્ચર્ય પમાડવા બે -“બહુપ્રભાવી અને સર્વત્રગામી ચગી છું.' એમ સાંભળતાં પત્થરના ઘાતથી અપરાધી
SR No.022672
Book TitleChandraprabhu Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha
PublisherJain Atmanand Sabha
Publication Year1930
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy