SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર. આ લેખ . જે લેખ લેશે, તે તને મનવાંછિત આપશે.” એમ કહી રાજાએ ભેગરાજને વિસર્જન કર્યો. પછી સ્ત્રી સહિત તે અનુકમે વિધ્યાચલે પહોંચે, ત્યાં રાજાએ કહેલ ઉન્નત ચોધવડ જેતા, તેની નીચે બેસીને તે બે કે–આ લેખ લઈ લે.” એટલે વડના થડમાંથી અંજલિબદ્ધ બે હાથ બહાર નીકળ્યા. ત્યારે ભેગરાજે તે અંજલિમાં લેખ નાખે. તે લેખને અર્થ વિચારતાં ચેટક દેવ અદશ્ય રહીને બેભે કે—તને જે જોઈએ, તે બેલ કે જેથી તે હું તને સત્વર લાવી આપે. હું સૈકત રાજાને હુકમ બજાવવા સદા તૈયાર છું.” ભેગરાજે વિચાર કર્યો–કે રાજાના હુકમથી એ મને પ્રસન્ન થઈને બધું આપશે, માટે હું અહીં જ રાજ્ય માગું.” એમ ધારી ભેગરાજ બોલ્યો કે અહીં મારે યોગ્ય એક ઉત્તમ નગર બનાવ અને સામગ્રી સહિત બધી રાજધાની તૈયાર કરાવે.” એમ કહેતાં યક્ષે તે બધું ક્ષણવારમાં બનાવ્યું. તે ભેગરાજે નજરે નીહાળતાં, તે શક કરતાં પણ અધિક અભિમાની બને. રાજપ્રાસાદ, દેવાલય, સોધ, હાટ-બજાર, વાવ, કૂપ, સરોવર, કેટ, આરામ પ્રમુખવડે શોભાયમાન લક્ષ્મીયુકત નગરી, પિતપતાના વેપારમાં લાગેલા અને આમતેમ જતા આવતા લોક સહિત, ઓચ્છવમાં આનંદ પમાડનાર સ્ત્રીઓ યુક્ત, તેમજ અશ્વ, હસ્તીઓની શાળાવડે રમણીય, દ્વારપર પ્રતીહાર યુકત સુવર્ણ રાજમહેલ જોતાં અને ત્યાં પ્રિયાયુકત પિતાને “જય, નંદ ચિર જીવ” ઈત્યાદિ વાકથી વધાવતાં મંત્રી પ્રમુખ રાજલોકને તેણે પિતાની સમક્ષ જોયા. એમ જાણે લાંબા વખતથી સ્થાપેલ હોય તેમ રાજલક્ષ્મી પામી ભેગરાજ પિતાની આજ્ઞા વિસ્તારતા, પરાકમી બની રાજ્ય ચલાવવા લાગ્યા. જે વસ્તુની જ્યારે જરૂર પડે, તે બધું ચેટક તૈયાર કરતે. જેથી ભેગરાજને કંઈ પણ ખામી ન રહી. એ રીતે રાજ્ય કરતાં તે પ્રમત્ત બન્યા અને ઇંદ્રને પણ તુચ્છ
SR No.022672
Book TitleChandraprabhu Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha
PublisherJain Atmanand Sabha
Publication Year1930
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy