SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ શ્રી ચંદ્રપ્રભસ્વામી—ચરિત્ર. તેણે ઇંડાં ચાંચમાં લઇ નીચે નાખી દીધાં. એટલે નીચે પડતાં તે તરત તડાક દઇ ફુટતાં પેલા ચકલા સ ંતુષ્ટ થતા ત્યાં આવ્યે અને તે ઈંડાંને ચંચુઘાતથી મારતા તથા વારંવાર દિશાઓ પ્રત્યે તે જોવા લાગ્યા. એવામાં ઇંડાંના માતપિતા આવ્યાં અને જોયું તે તે દુષ્ટ શત્રુએ ઈંડાં નીચે નાખી દીધાં હતાં. ત્યાં ભૂમિપર કુટી ગયેલાં ઈંડાં જોતાં, પેલા દુષ્ટ ચકલા તેમના જોવામાં આવ્યેો. એટલે બાળકના મૃત્યુ દુઃખવડે અત્યંત કાપે ભરાયેલ તે અને, શત્રુ ચકલા પાસે જઇ ક્રોધથી લડવા લાગ્યા અને અન્યાન્ય નિય બની ચંચુઘાતથી મારવા લાગ્યા. તે અન્યાન્ય ચાંચમાં ચાંચ ભરાવી ઉછળતા અને નીચે પડતાં પાછા પગવડે એક બીજાને સખ્ત દબાવતા ઉપરલા અધસ્થને ચંચુવડે સતાવતા, ત્યારે મહાબળે નીચલ ઉપલાને હેઠે નાખીને મારતા. છતાં પ્રહારને જાણે જાણતા ન હાય તેમ નીચલા ઉપર આવતાં પેલા ચકલાને બમણા ચંચુ પ્રહારથી મારતા. એમ પતિના જીતતાં ચક્લી પણ શત્રુ ચકલાને ક્ષણે ક્ષણે સર્વાંગે વીંખી નાખતી. એમ અને ચકલા પરસ્પર યુદ્ધ કરતાં મસ્થાને ચંચુઘાતથી હણાતાં મરણ પામ્યા. ત્યારે ચકલી ક્ષણભર ત્યાં વિલાપ કરી ચાલી ગઈ અને અન્ય ચકલા સાથે તે વિલાસ કરવા લાગી. એ પ્રમાણે પદ્મ રાજાએ સાક્ષાત્ નજરે જોતાં વિચાર કર્યા કે અહા ! સંસારી જીવાને ધિક્કાર છે કે તેઓ કેવાં કમ આચરે અને સહે છે ? કષાયના વશે ચકલા માળામાં રહેલ ઈંડાને કેમ મારે ? પોતાના બાળકના મરણને જોઇ મમતાને લીધે કાપ પામતાં ઈંડાંના ખાપ ચકલા શત્રુ ચકલાને મારીને પાતે પણ મુવા, વળી તેની સ્ત્રી સ્વભાવે ચપળ હાવાથી બાળક અને કાંતને સથા વિસારી મૂકી, તે બીજા ચકલાની ભાર્યાં બની બેઠી. એમ ક્રોધ મમત્વ અને કામચેષ્ટાના પ્રભાવ મેં સાક્ષાત્ જોચા. અરે ! આ સંસારમાં વસતા જીવાને ધિક્કાર છે કે જેઓ અન્યોન્ય શત્રુ થઈને
SR No.022672
Book TitleChandraprabhu Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha
PublisherJain Atmanand Sabha
Publication Year1930
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy