SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર. વ્યતીત થતાં માતપિતાએ આગ્રહ કરવાથી પ્રભુ, રૂપ-લાવણ્યયુક્ત સુકન્યાને પરણ્યા. પછી કીડાવન, વાવ, સરોવર, પર્વત પ્રમુખસ્થાને યથાસુખે તારા સાથે ચંદ્રમાની જેમ તે રમણી સાથે ક્રીડા કરવા લાગ્યા. એટલે “અમારા એ સ્વામી થાઓ” એમ બેલતા, ભારે પ્રભેદથી સર્વ રાજાઓએ મળીને તેમને રાજ્યાભિષેક કર્યો, અને સાડા છ લાખ પૂર્વ અને ચોવીશ પૂર્વાગ ઉપર ધર્મ, અર્થ અને કામને સેવતાં સ્વામીએ રાજ્યનું પાલન કર્યું. પછી દીક્ષા–અવસરના અધિકારી કાંતિક દેએ આવી, નમી, અંજલિ જેને ભગવંતને વિનંતી કરી કે હે જગબંધવ! હે સર્વજ્ઞ ! હે સર્વદર્શી સ્વામિન્! હવે આ સમય છે કે તમે તીર્થ પ્રવ વે,” એટલે પ્રભુ પિતે સાંવત્સરિક દાન આપતાં તેમને કેઈ અદેય વસ્તુ નથી અપ્રભૂત કાંઈ નથી. તેમજ કઈ અકિંચન પણ ન રહ્યું. ત્રિક, ચતુષ્ક કે મેટા માગે તથા નગરીની બહાર જે કઈ જે વસ્તુ માગતા, તેને પ્રભુ આદરપૂર્વક તે વસ્તુ આપતા. તે વખતે ઇંદ્રના આદેશથી કુબેરે ફરમાવેલ જભકદેવે સ્વામીને નકાદિક બધું પૂરવા લાગ્યા. પ્રતિદિન સૂર્યોદયથી ભેજનવેળા સુધી ભગવાન્ એક કેટિ અને આઠ લાખ નયા દાન કરતા. એમ આખા વરસમાં ત્રણસે અચાશી કેટિ અને એંશી લાખ સેનૈયા ભગવતે દાનમાં આપ્યા. એમ એક વરસ પૂર્ણ થતાં આસન ચલાયમાન થવાથી ઇંદ્રએ પોતે આવી, સ્વામીને દીક્ષાભિષેક કર્યો, અને દિવ્યાલંકારે તથા વસ્ત્રો તેમણે આપતાં ચંદ્રપ્રભુ સ્વામીએ તે પહેર્યા. દીક્ષા સમયની એ સ્થિતિ છે. પછી અનુત્તર વિમાનના વિમાન સમાન મનહર શિબિકા ઇંદ્ર તૈયાર કરતાં મહેંદ્રના હસ્ત ટેકાથી ભગવંત, ભાવિ લેકાગ્ર-ગૃહનું જાણે પ્રથમ સપાન હોય તેવી તે શિબિકાપર આરૂઢ થયા એટલે
SR No.022672
Book TitleChandraprabhu Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha
PublisherJain Atmanand Sabha
Publication Year1930
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy