SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર. પિતાના મસ્તકે નાખવા લાગ્યા. પછી ઇંદ્રજાળને ઈંદ્રજાળીયાની જેમ ઇંદ્ર ક્ષણવારમાં ચારે વૃષભે સંહરી લીધા. એમ વિસ્તારથી સ્નાત્રેત્સવ કરી સૌધર્મપતિએ ઉત્સાહપૂર્વક રત્ન-દર્પણની જેમ સ્વામીને વચ્ચે લુંછી, દિવ્ય અંગરાગવડે પ્રભુને ચર્ચા દિવ્ય પુષ્પ તથા દિવ્ય વસ્ત્રવડે તેણે પૂજ્યા, અને મુગટ, કુંડલ, મુક્તાહાર, કેયૂર, કંકણ, કદંરે, કડાં ઈત્યાદિ અલંકારે પ્રભુને પહેરાવ્યા. પછી તેણે સ્વામીની આરતિ ઉતારતાં, દેવે નિર્મળ મણિ સમાન પુષ્પ નાખવા લાગ્યા. એ પ્રમાણે સ્નાત્ર કરી, ભગવંતને પૂછ, આત્માને કૃતકૃત્ય માનતે સુરેંદ્ર જગત્મભુની સ્તુતિ કરવા લાગે –“હે સંસારતારક અષ્ટમ જિનેશ! તમે જયવંત વ. હે! ત્રણ લોકના જીના નિષ્કારણ બંધુ! તમે જય પામે. ચંદ્રમાને દેદીપ્યમાન જોઈ કદંબ વૃક્ષની જેમ તમારા મુખને જોતાં મારી દષ્ટિ આનંદથી ઉલ્લાસ પામી. અત્યારે ભરતક્ષેત્રમાં સૂર્યરૂપ તમે ઉદય પામતાં આશ્ચર્ય છે કે એકત્ર થયેલા બધા કૌશિક-ઘુવડ, પક્ષે ઈંદ્રો શીતલતાથી આનંદ કરે છે. હે નાથ ! આજે મારા હાથ કૃતાર્થ થયા કે જેમણે તમારું ન્ડવણ કર્યું. કારણ કે વૃષ્ટિવિના મેઘ કદાપિ સફળ થતું નથી. હે પ્રભુ ! આ મધ્યમ લેક પણ શશિ વિશેષને પામતા ગ્રહની માફક અત્યારે તમારા જન્મથી ઉત્તમ થયે. અત્યારે તમે જન્મતા જગત સશ્રીક-લક્ષ્મીયુકત થયું. કૌસ્તુભ વિના લક્ષમી વિષ્ણુના વક્ષસ્થળે ન રહે. અવસરે ઈંદ્રોથી પણ મનુષ્ય ઉત્તમ ઉંચપદને પામે છે, કારણ કે તેતમારી દેશનારૂપ નિશ્રેણી પર આરૂઢ થઈ સિદ્ધપદને પામે છે, પણ અમે તેવી સ્થિતિ પામી શકતા નથી. સદા વાચાલ જીભ પણ તમારી સ્તવનાથી કૃતાર્થ થઈ. કારણ કે મેઘજળે છીપમાં મેતી પાકે છે. એ પ્રમાણે તીર્થનાથને સ્તવી, પ્રમોદથી પવિત્ર મન કરી, પ્રથમની જેમ સૌધર્મપતિએ પિતાના પાંચરૂપ બનાવી ઈશાનપતિના ઉલ્લંગમાંથી ભગવંતને ધારણ કરી, દેવયુક્ત તે લક્ષ્મણ
SR No.022672
Book TitleChandraprabhu Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha
PublisherJain Atmanand Sabha
Publication Year1930
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy