SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ શ્રી ચંદ્રપ્રભસ્વામિ-ચરિત્ર. લીધી. પછી સખીઓને ભેટી, આંખમાં આંસુ લાવી, લાંખા વખત સાથે રહેતાં કઇ થયેલ અપરાધ ખમાવીને તેણે પાછી વાળી. એમ જતાં જતાં મમતાના ચેાગે વારવાર પાછળ નજર કરી સ્થાન અને અશ્રુવડે માગ સિંચતી શકુંતલા આગળ ચાલી, તેણીની સાથે એ ત્રણ તાપસી અને મુનિ હતા, તેમની સ`ગાથે પતિના પત્તન પ્રત્યે જતાં માર્ગમાં તેણે દક્ષિણ તરફે સ્વચ્છ જળનું એક વિશાળ સરાવર જોયુ. એટલે રસ્તે ચાલતાં સર્વાંગે થયેલ ખેદથી જળની વાંછાએ લક્ષ્મીના કમળની શે।ભા સાથે પેાતાના મુખની તુલના કરવા તે સાવરે ગઇ. ત્યાં પગ ધોવાના મિષે શ્રમને જલાંજલિ આપતાં તેણે પવિત્ર થઇને કાંઈક પાણી પીધુ, પણ પગ ધાતાંતેની વીંટી ઢીલી હાવાથી આંગનીમાંથી નીકળી જળમાં પડી ગઇ. શકુંતલાને તેના અભ્યાસ ન હાવાથી તે પાણીમાં પડતાં જાણવામાં ન આવી અને તેને યાદ કર્યા વિનાજ તે આગળ પંથે ચાલી. અનુક્રમે તે પતિના નગરે પહોંચી. ત્યાં ક્ષણભર બહાર વિસામા લઈનેતેણે નગરમાં પ્રવેશ કર્યાં. ત્યારે શકુંતલાને વિચાર આવ્યે કે— આગળ જઈને પતિને મારે શુ કહેવુ.' એમ લજજા અને સ્નેહમાં લીન થતી શકુંતલાએ પ્રવેશ કર્યો. પછી હાથમાં ફળ લઇ, આગળ થઇને તાપસાએ જાણે " સ્વ થકી અવનીપર ઉતરેલ ઈંદ્ર હાય તેવા રાજાને જોયા અને નજક આવી, ફળની ભેટ ધરતાં, પેાતાના જમણા હાથ ઉંચા કરી, તેમણે એકીસાથે રાજાને આશિષ આપી, તથા જણાવ્યું કે—હૈ રાજન! ક`ષિએ તમને શુભાશિષ આપતાં કંઇક કહેવરાવ્યું છે”. રાજા મેલ્યા— મને અનુગ્રહ કરવા ગુરૂએ શું ફરમાવ્યું છે, આ હું તેમની શુશ્રુષા કરવા તૈયાર છું. માટે ગુરૂના અદેશ ફરમાવે. એટલે એક તાપસે કહ્યું કે... હે રાજન! તમે આશ્રમમાં આવતાં ગાંધ—વિવાહથી શકુંતલાને પરણ્યા, તે સગર્ભા થવાથી અત્યારે કષિએ તમારા ઘરે તે મોકલી છે; તે એ તમારી પત્નીને તમે "
SR No.022672
Book TitleChandraprabhu Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha
PublisherJain Atmanand Sabha
Publication Year1930
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy